Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તીના બોટનિકલ ગાર્ડન ખાતે ખેડૂત આઉટરીચ કાર્યક્રમનું કરેલું ઉદ્દઘાટન

લક્ષદ્વીપના મૃતપ્રાયઃ બનેલા ખેતીના વ્‍યવસાયને નવજીવન આપવા માટે ખેડૂતોને ફળ, શાકભાજીના બિયારણનું વિતરણ કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રશાસકશ્રીએ આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) લક્ષદ્વીપ/દમણ, તા.24
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તીના ખાતે બોટનિકલ ગાર્ડન ખાતે ખેડૂત આઉટરીચ કાર્યક્રમનું ઉદ્દઘાટન કર્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ લક્ષદ્વીપમાં મૃતપ્રાયઃ બનેલા ખેતીના વ્‍યવસાયને નવજીવન આપવા માટે પણ પ્રયાસરત છે. તેમણે ખેડૂતોને ફળો અને શાકભાજીના બિયારણનું વિતરણ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પણ માર્ગદર્શન આપ્‍યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ પણ કોઈપણ ક્ષેત્રમાં પાછળ નહી રહે અને અહીના સ્‍થાનિક લોકોને ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ અસરકારક રીતે મળે તે માટે પણ પ્રયત્‍નશીલ છે.

Related posts

વલસાડ નંદવાલા હાઈવે ઉપર આર.એન.બી.ના અધિકારીની કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાતા અકસ્‍માત

vartmanpravah

વાપી ફેલોશીપ સ્‍કૂલ દ્વારા આયોજિત આંતર સ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલ ટોપ રહી

vartmanpravah

પારડીમાં બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રાનું થયું આગમન

vartmanpravah

લ્‍યો કરો વાત..! વાહ એનસીએલટી..! રૂા.250 કરોડની મિલકતનું મૂલ્‍ય માત્ર રૂા.20-22 કરોડ જ આંક્‍યુ..!

vartmanpravah

સંઘપ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે પ્રદેશના સર્વાંગી અને યુવાલક્ષી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આભાર સાથે વ્‍યક્‍ત કરેલી કૃતજ્ઞતા

vartmanpravah

અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે વાપી ઈસ્‍કોન મંદિર દ્વારા આયોજીત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ લેતા ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

Leave a Comment