August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તીના બોટનિકલ ગાર્ડન ખાતે ખેડૂત આઉટરીચ કાર્યક્રમનું કરેલું ઉદ્દઘાટન

લક્ષદ્વીપના મૃતપ્રાયઃ બનેલા ખેતીના વ્‍યવસાયને નવજીવન આપવા માટે ખેડૂતોને ફળ, શાકભાજીના બિયારણનું વિતરણ કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રશાસકશ્રીએ આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) લક્ષદ્વીપ/દમણ, તા.24
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તીના ખાતે બોટનિકલ ગાર્ડન ખાતે ખેડૂત આઉટરીચ કાર્યક્રમનું ઉદ્દઘાટન કર્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ લક્ષદ્વીપમાં મૃતપ્રાયઃ બનેલા ખેતીના વ્‍યવસાયને નવજીવન આપવા માટે પણ પ્રયાસરત છે. તેમણે ખેડૂતોને ફળો અને શાકભાજીના બિયારણનું વિતરણ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પણ માર્ગદર્શન આપ્‍યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ પણ કોઈપણ ક્ષેત્રમાં પાછળ નહી રહે અને અહીના સ્‍થાનિક લોકોને ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ અસરકારક રીતે મળે તે માટે પણ પ્રયત્‍નશીલ છે.

Related posts

કપરાડા કુંભઘાડ ઉપર બ્રેક ફેલ થતાકન્‍ટેનર અને પિયાગો વચ્‍ચે ગંભીર અકસ્‍માત

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર અથાલ નજીક ઈકો કારને નડેલો અકસ્‍માત

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે આદિવાસી મહિલા અગ્રેસર

vartmanpravah

કપરાડા વિસ્‍તારના લોકોને ગેરમાર્ગે દોરવા ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના નકશા બોગસ હોવાનો ખુલાસો થયો

vartmanpravah

ઝાંસી બાંદ્રા ટ્રેનમાંથી ઓફ સાઈડ ઉતરતાં વાપી રેલવે સ્ટેશન ઉપર કરૂણાંતિકા સર્જાઈઃ ટ્રેનની અડફેટે ૩ :મુસાફરો આવ્યાઃ ૨ના મોત, ૧ ઘાયલ : મુંબઈ તરફથી આવતી ટ્રેનની અડફેટમાં: આવ્યાઃ પરિવાર વાપીથી દમણ જવાનો હતો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર અનસુયા ઝાની અધ્‍યક્ષતામાં નિર્મળ ગુજરાત 2.0 અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment