લક્ષદ્વીપના મૃતપ્રાયઃ બનેલા ખેતીના વ્યવસાયને નવજીવન આપવા માટે ખેડૂતોને ફળ, શાકભાજીના બિયારણનું વિતરણ કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રશાસકશ્રીએ આપેલું માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) લક્ષદ્વીપ/દમણ, તા.24
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તીના ખાતે બોટનિકલ ગાર્ડન ખાતે ખેડૂત આઉટરીચ કાર્યક્રમનું ઉદ્દઘાટન કર્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ લક્ષદ્વીપમાં મૃતપ્રાયઃ બનેલા ખેતીના વ્યવસાયને નવજીવન આપવા માટે પણ પ્રયાસરત છે. તેમણે ખેડૂતોને ફળો અને શાકભાજીના બિયારણનું વિતરણ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પણ માર્ગદર્શન આપ્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ પણ કોઈપણ ક્ષેત્રમાં પાછળ નહી રહે અને અહીના સ્થાનિક લોકોને ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ અસરકારક રીતે મળે તે માટે પણ પ્રયત્નશીલ છે.