(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06
‘ક્લીન દમણ… ગ્રીન દમણ’ના સંકલ્પને ચરિતાર્થ કરવા વધુ વૃક્ષ વાવોના સંકલ્પ સાથે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મોટી દમણના જંપોર ખાતે જ્ઞાનધારા શિક્ષા પ્રચારક પરીવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી કમલેશ પટેલ, સેક્રેટરી શ્રીમતિ ડિમ્પલ પટેલ, ખજાનચી શ્રીમતિ હેમાક્ષી પટેલ, વડીલ શ્રીમતી ઈન્દુબેન પટેલ તથા સંસ્થાના તમામ સભ્યો ઉપસ્થિત રહી આસપાસના વિસ્તારમાં વૃક્ષો વાવી તેનું જતન કરી પર્યાવરણને શુદ્ધ અને સ્વચ્છ રાખવાના સરકારના પ્રયાસમાં સહભાગી બની દેશના જવાબદાર નાગરિકની ભૂમિકા ભજવવા સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી કમલેશ પટેલે ‘પર્યાવરણના જતનમાં આપણી ભૂમિકા’ વિષય પર વક્તવ્ય રજૂ કરી પર્યાવરણના જતન માટેના વિવિધ ઉપાયો અને તેમાં આપનીભૂમિકા વિશે વિગતે સમજ આપી હતી.
Next Post