March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર- કપરાડામાં આરોગ્‍યલક્ષી સેવા હવે વધુ સુદઢ બનશે, પીએમના સંભવિત કાર્યક્રમમાં નવા 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ થશે: દર્દીઓની સુવિધા માટે રૂ. 1.60 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્‍ત કેન્‍દ્ર બનાવાયા

અંતરિયાળ વિસ્‍તારોમાં નિયમિત આરોગ્‍ય ચેકિંગ અને તબીબી સારવારથી મળત્‍યુદરનું ?માણ ઘટશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01
નવસારીના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામમાં તા. 10 જૂને પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સંભવિત કાર્યક્રમમાં વલસાડ જિલ્લામાં પ્રજાલક્ષી વિકાસના વિવિધ કામો પૈકી 764.24 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને રૂા. 200.58 કરોડના કામોનું ખાતમૂર્હુત કરાશે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં છેવાડાના નાગરિકોને આરોગ્‍યલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્‍ધ થઈ શકે તેવા શુભ આશયથી રાજ્‍ય સરકાર દ્વારા અદિવાસી એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું રૂ. 1.60 કરોડના ખર્ચે લોકાર્પણ કરવામાં આવનાર છે.
પ્રજાનું આરોગ્‍ય સ્‍વસ્‍થ હશેતો દેશ પ્રગતિના પંથે દોડશે એવા શુભ આશય સાથે રાજ્‍ય સરકાર દ્વારા આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ ગામે ગામે હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર બનાવવામાં આવી રહ્યા છે. ગામના લોકોને પોતાના એરિયામાં જ આરોગ્‍યલક્ષી સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સરાહનીય પ્રયાસ કરાઈ રહ્યો છે. દરમિયાન રાજ્‍ય સરકાર દ્વારા વર્ષ 2019-20ના બજેટમાં નવા પેટા આરોગ્‍ય કેન્‍દ્ર અંગે નાણાકીય જોગવાઈ કરવામાં આવી હતી. જેની મંજૂરી મળતા આરોગ્‍ય વિભાગના પીઆઈયુ (પ્રોજેક્‍ટ ઈમ્‍પ્‍લિમેન્‍ટેશન યુનિટ) દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 6 અને કપરાડા તાલુકામાં 2 પેટા આરોગ્‍ય કેન્‍દ્ર મળી કુલ 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું રૂ. 1.60 કરોડના ખર્ચે બાંધકામ પૂર્ણ કરવામાં આવ્‍યું છે. દર્દીઓને પુરતી સુવિધા મળી રહે તે માટે ગ્રાઉન્‍ડ ફલોરવાળુ પેટા આરોગ્‍ય કેન્‍દ્ર તૈયાર કરાયું છે. જે માટે કંપાઉન્‍ડ વોલ, પેવર બ્‍લોક વાળો રોડ અને વીજળી પણ પુરી પડાઈ છે. આ પેટા આરોગ્‍ય કેન્‍દ્ર થકી અંતરિયાળ વિસ્‍તારોમાં લોકોની નિયમિત આરોગ્‍ય તપાસ અને મફત તબીબી સારવાર થતા મૃત્‍યુદરનું પ્રમાણ પણ ઘટશે.
આ 8 ગામ અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને ફાયદો થશે
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં બારોલિયામાં રૂા. 18.49 લાખ, બારસોલમાંરૂા. 17.79 લાખ, ફુલવાડીમાં રૂા. 22.44 લાખ, માકડબનમાં રૂા. 22.48 લાખ, મરઘમાળમાં રૂા. 17.75 લાખ અને નાની વહિયાળમાં રૂા. 18.49 લાખના ખર્ચે જ્‍યારે કપરાડા તાલુકામાં કાકડપોરમાં રૂા. 20.60 લાખ અને ઓઝરમાં રૂા. 21.05 લાખના ખર્ચે પેટા આરોગ્‍ય કેન્‍દ્ર તૈયાર કરવામાં આવ્‍યા છે. જેથી આ 8 ગામ અને આસપાસના ગામોની પ્રજાને આરોગ્‍યલક્ષી લાભ મળશે.

પેટા આરોગ્‍ય કેન્‍દ્રમાં આ સુવિધાઓ મળશે
1. લેબર રૂમ – 1 યુનિટ
2. એક્ષામિનેશન રૂમ – 1 યુનિટ
3. વેઈટિંગ એરિયા- 1 યુનિટ
4. સ્‍ટાફ માટે રહેણાંક જગ્‍યા

Related posts

વલવાડા સાંઈબાબા મંદિર પરિસરમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા પ દિવસીય નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહકલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવમાં 1991ની લોકસભા ચૂંટણીથી નંખાયેલો ભાજપનો પાયો

vartmanpravah

બે INS ખૂકરીમાંથી સન 1971માં પાકિસ્‍તાન સામે લડતા એક યુધ્‍ધ જહાજ એ જળ સમાધી લેધેલ જ્‍યારે બીજી આઈએનએસ ખૂખરી યુધ્‍ધ જહાજની યાદગીરી રુપે દીવમાં મ્‍યુઝિયમ તરીકે લોકો માટે ખૂલ્લુ મુકાશે

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરનું પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દિપેશભાઈ ટંડેલનાનેતૃત્‍વમાં દમણ પ્રદેશ કાર્યાલય ખાતે ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

દમણ કોર્ટમાં ‘વિશ્વ આરોગ્‍ય દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment