February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં કેવડાત્રીજ વર્તની પૂજા થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ તા.30: દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ભાદરવા સુદ ત્રીજને દિવસે મહાદેવના સાનિધ્‍યમાં સવારે 9 કલાકે શ્રી ગંગાધરભાઈ ભટ્ટ દ્વારા પૂજાકરવામાં આવી હતી. કુમારિકાઓ દ્વારા કેવડાત્રીજ વ્રત નિમિત્તે શંકર ભગવાનની શિવલિંગ પ્રતિમા બજોઠ ઉપર પોતાના હાથે બનાવવામાં આવે છે અને ભૂદેવ દ્વારા સોડષો પ્રકારની પૂજા કરી અને આજના દિવસે સ્‍થાપિત કરવામાં આવે છે. ત્‍યારબાદ આરતી પ્રસાદ ધરવામાં આવે છે અને રાત્રે જાગરણ કરવામાં આવે છે અને સવારે સમુદ્ર દેવમાં વિસર્જિત કરવામાં આવે છે અને કેવડાત્રીજ નિમિત્તે કુમારકાઓની મનોકામના પૂર્ણ કરવા માટે શંકર ભગવાનને કેવડાના પાન અને ફૂલ ચઢાવી ભગવાનને અર્પણ કરી અને મનોકામના પૂર્ણ થાય તે હેતુ આ વ્રત પૂજા કરવામાં આવે છે અને સાંજે 5/કલાકે બહેનો દ્વારા મંદિરમાં ભજન કીર્તન કર્યા બાદ સાંજે 7/કલાકે હાટકેશ્વર મહાદેવજીને દીપમાળા તથા કેવડાથી સુશોભિત શણગાર પછી ફરારનો મહાભોગ પ્રસાદ ધરવામાં આવ્‍યો અને 7/કલાકે આરતી ઉતાર્યા બાદ મંત્ર પુષ્‍પાંજલિમાં કેવડો અર્પણ કરવામાં આવ્‍યો અને ધુન કીર્તન મહાદેવને પ્રસન્ન કરવામાં આવ્‍યા તેમજ 8/કલાકે સૌ ભક્‍તોએ ફરારની પ્રસાદી લીધી. આ સમગ્રનું આયોજન મંદિર સંચાલક પ્રભુભાઈ દ્વારા વ્‍યવસ્‍થા કરવામાં આવેલી હતી.

Related posts

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

દીવના બુચરવાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો : ગ્રામવાસીઓએ લીધેલો લાભ

vartmanpravah

હર ઘર દસ્‍તક અંતર્ગત કોરોનાની ત્રીજી લહેરને લઈ પારડી ન.પા. એલર્ટ: નગરપાલિકા વિસ્‍તારમાં ઘરે ઘરે જઈ હાથ ધરેલું કોવિડ વિરોધી રસીકરણ અભિયાન

vartmanpravah

ચારધામની યાત્રા પર ગયેલા વાપી અંબામાતા મંદિરનાપૂર્વ પૂજારીનું હૃદય રોગથી ગંગોત્રી નજીક મોત

vartmanpravah

ચીખલી તાલુકામાં અને ઉપરવાસમાં મૂશળધાર વરસાદને પગલે કાવેરી, અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓમાં ઘોડાપૂર

vartmanpravah

વલસાડ તાલુકા ના ધરાસણા ગામ ના ચિલ્ડ્રન હોમ ની બાળાઓ ને વસ્ત્રો નું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment