September 20, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) શામળાજી, તા.14
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું હતું.
સાબર ડેરીના સહયોગથી શામળાજી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આશ્રમ ચોકીના ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત પ્રસંગે અરવલ્લી-મોડાસાના પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત અને સાબરડેરી હિંમતનગરના ચેરમેન શ્રી શામળભાઈ પટેલની પણ વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ શામળાજીના અનન્‍ય ભક્‍ત છે અને તેમના ઉપર હંમેશા શામળાજીની કૃપા પણ રહી છે. આજે આશ્રમ ચોકીના ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત સાથે શામળાજી મંદિરના દર્શન પણ દર પૂર્ણિમાના પોતાના નિત્‍ય ક્રમ મુજબ કર્યા હતા.

Related posts

પરિયામાં ફેક્‍ટરીમાં ઘુસી મારામારી કરનારા થયા જેલભેગા

vartmanpravah

ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી મજીગામ-થાલા-પાટી માઇનોર કેનાલના તકલાદી કામને કારણે સરકારના લાખો રૂપિયા એળે જવાની સર્જાય રહેલી ભીતિ

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દમણમાં સેવા અને સમર્પણ દિવસ અંતર્ગત કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હાથ ધરાયું

vartmanpravah

પ્રદેશની સળગતી સમસ્‍યા, દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં દાનહ અને દમણ-દીવ ખાતે ભારત સરકારની ‘‘આયુષ્‍માન ભારત” યોજના બંધ હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે દાનહઃ બિન્‍દ્રાબિન તડકેશ્વર મહાદેવના મંદિરે પ્રદેશ ભાજપપ્રભારી તથા પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને મહાનુભાવોએ પૂજા-અર્ચના સાથે કરેલો જળાભિષેક

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર સંગઠન દમણના સ્‍વયં સેવક હર્ષિલ ભંડારીએ પ્રશાસકશ્રીની મુલાકાત કરી પોતાની સંસદ યાત્રાના રજૂ કરેલા અનુભવો

vartmanpravah

Leave a Comment