(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) શામળાજી, તા.14
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું હતું.
સાબર ડેરીના સહયોગથી શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશ્રમ ચોકીના ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત પ્રસંગે અરવલ્લી-મોડાસાના પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત અને સાબરડેરી હિંમતનગરના ચેરમેન શ્રી શામળભાઈ પટેલની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ શામળાજીના અનન્ય ભક્ત છે અને તેમના ઉપર હંમેશા શામળાજીની કૃપા પણ રહી છે. આજે આશ્રમ ચોકીના ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત સાથે શામળાજી મંદિરના દર્શન પણ દર પૂર્ણિમાના પોતાના નિત્ય ક્રમ મુજબ કર્યા હતા.