April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) શામળાજી, તા.14
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું હતું.
સાબર ડેરીના સહયોગથી શામળાજી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આશ્રમ ચોકીના ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત પ્રસંગે અરવલ્લી-મોડાસાના પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત અને સાબરડેરી હિંમતનગરના ચેરમેન શ્રી શામળભાઈ પટેલની પણ વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ શામળાજીના અનન્‍ય ભક્‍ત છે અને તેમના ઉપર હંમેશા શામળાજીની કૃપા પણ રહી છે. આજે આશ્રમ ચોકીના ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત સાથે શામળાજી મંદિરના દર્શન પણ દર પૂર્ણિમાના પોતાના નિત્‍ય ક્રમ મુજબ કર્યા હતા.

Related posts

દીવમાં હિન્‍દી દિવસ નિમિત્તે કલેક્‍ટર સભાખંડમાં રાજભાષા પ્રતિજ્ઞાનું વાંચન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળનું ગૌરવ

vartmanpravah

આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાતનો પ્રદેશ મહાઅભ્‍યાસવર્ગ-2024 યોજાયો

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમાર પરિવારના સભ્‍યોએ કેન્‍દ્રના મત્‍સ્‍યોદ્યોગ રાજ્‍યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની લીધેલી મુલાકાત

vartmanpravah

નવસારી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના પ્રશાસન નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયાના કાર્યકાળમાં બેંકે શરૂ કરેલી પ્રગતિની હરણફાળ

vartmanpravah

Leave a Comment