Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

યુક્રેનથી અધુરો અભ્‍યાસ છોડી પરત આવેલા વિદ્યાર્થીઓની પડખે પ્રદેશ ભાજપ : આરોગ્‍ય સચિવને કરેલી રજૂઆત

  • થ્રીડી પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં ભાજપ પ્રતિનિધિ મંડળે પ્રદેશના આરોગ્‍ય સચિવ સાથે કરેલી મુલાકાત

  • આરોગ્‍ય સચિવે ભારત સરકારના સંબંધિત મંત્રાલય સાથે વાતચીત કરી તેમના દિશા-નિર્દેશ મુજબ વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપા પ્રદેશ પ્રમુખની અધ્‍યક્ષતામા પ્રતિનિધિમંડળે આરોગ્‍ય સચિવ સાથે મુલાકાત કરી પ્રદેશમાં યુક્રેનથી પરત આવેલ વિદ્યાર્થીઓને આગળ ભણવાને લઈ ચિંતા વ્‍યક્‍ત કરી હતી અને એક આવેદન પત્ર પણ આપ્‍યુ હતુ. બાળકોનુ ભવિષ્‍ય ખરાબ નહી થાય અને તેઓના આગળના ભણતર માટે યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવામા આવે એવી માંગ કરી હતી.
રશિયા અને યુક્રેન વચ્‍ચે ચાલી રહેલ યુદ્ધના કારણે ત્‍યાં મોટી સંખ્‍યામાં ભારતીય વિદ્યાર્થીઓ ત્‍યાં ફસાઈ ગયા હતા. ત્‍યારબાદ ભારત સરકારે મિશન ગંગા અભિયાન અંતર્ગત દાનહના 4, દમણના 7 અને દીવના 4 મળી કુલ 15 વિદ્યાર્થીઓને સકુશળ પરત લાવવામા આવ્‍યા હતા. યુક્રેનથી પરત આવેલ વિદ્યાર્થીઓને આગળના ભણતર માટે મોટી સમસ્‍યા ઉભી થઈ છે જેને લઇ ભાજપા પ્રતિનિધિ મંડળ સતતઆ વિદ્યાર્થીઓના સંપર્કમાં હતા અને એમની સમસ્‍યા અંગે પ્રશાસન સાથે ભારત સરકાર સમક્ષ ઉઠાવતા રહ્યા છે.
ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતળત્‍વમાં ડો.સેલના ડો.બિજલ કાપડિયા, દમણ-દીવ પૂર્વ પ્રમુખ શ્રી બી.એમ.માછી, મિશન ગંગા પ્રદેશ કમિટી કોઓર્ડીનેટરે આરોગ્‍ય સચિવ ડો.એ મૂથમ્‍મા સાથે મુલાકાત કરી આવેદન પત્ર આપ્‍યુ હતું. જેમા પ્રતિનિધિ મંડળે યુક્રેનથી પરત આવેલ વિદ્યાર્થીઓની આગળનુ ભણતર માટે વ્‍યવસ્‍થા કરવાની માંગ કરી.
આ બાબતે આરોગ્‍ય સચિવે પણ આશ્વાશન આપ્‍યુ હતું કે જલ્‍દીથી જલ્‍દી આ સંદર્ભે ભારત સરકારના સબંધિત મંત્રાલય સાથે વાતચીત કરી, આવનાર ગાઇડલાઇન મુજબ આ બાળકોના ભણતરની વ્‍યવસ્‍થા અંગેની જાણકારી આપશે.

Related posts

પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટ પડતો મુકાયો : કેન્‍દ્ર સરકારની જાહેરાત

vartmanpravah

ઓલપાડના ગામનાં નવયુવાનો નર્મદા પૂરગ્રસ્‍ત લોકોની વહારે દોડયા

vartmanpravah

ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી નરેગા યોજના હેઠળ દાનહની દરેક ગ્રામ પંચાયતોમાં 14મી ઓક્‍ટોબરના સોમવારે ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષની વયજૂથના કિશોર-કિશોરીઓનું 100 ટકા થયેલું કોવિડ વેક્‍સિનેશન

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા છઠ્ઠ પૂજા માટે ત્રણ સ્‍થળો નક્કી કરાયા

vartmanpravah

સેવામાં નિષ્‍કામ ભાવ જરૂરી : સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ

vartmanpravah

Leave a Comment