April 19, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે 8મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરવામાં આવેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.21
જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર (રાષ્‍ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્‍કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ધરમપુર ખાતે તા.20 અને 21મી જૂન, 2022 દરમિયાન 8મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી ‘‘માનવતા માટે યોગ” થીમ પર કરવામાં આવી હતી. જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુરના કર્મચારીઓ માટે યોગા દિવસના પ્રોટોકોલ અનુસાર યોગ માટે સત્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રેરણાબેન મહંત- યોગ કોચ ધરમપુર અને પુનમ ભટ્ટ જેવા તજજ્ઞો દ્વારા યોગાસનના પ્રકારો, યૌગિક ક્રિયાઓ, આસન, પ્રાણાયામ, મુદ્રા, સૂર્ય નમસ્‍કાર વગેરેનું નિદર્શન આપ્‍યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર, નેહરૂ વિજ્ઞાન કેન્‍દ્ર મુંબઈ અને આર્ટ ઓફ લિવિંગ મુંબઈ દ્વારા ઓનલાઈન યોગ સત્રનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં તજજ્ઞ તરીકે દિપ્‍તી દેશપાંડે યોગ ઈન્‍સ્‍ટ્રક્‍ટર, આર્ટ ઓફ લિવિંગ મુંબઈએ યોગની વિવિધ ક્રિયાઓનું નિદર્શન કરાવ્‍યું હતું. જેમાં પશ્ચિમ ભારતના 5 વિજ્ઞાન કેન્‍દ્રોમાંથી 1100 જેટલા બાળકો અને વયસ્‍કો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુરના એજ્‍યુકેશનઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે જણાવ્‍યું કે ભારતે વિશ્વને યોગની ભેટ આપી છે. યોગનો ઉલ્લેખ ઋગ્‍વેદ અને શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં પણ કરવામાં આવેલ છે. શાષાોમાં ભગવાન શિવજીને પરમ યોગી કહેવામાં આવે છે. મહર્ષિ પતંજલિએ યોગના 8 પ્રકારો આપ્‍યા છે. યુનાઈટેડ નેશન્‍સ જનરલ એસેમ્‍બલીમાં 11મી ડિસેમ્‍બર 2014ના રોજ સર્વ સંમતિથી દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા માટેનો ઠરાવ ક્રમાંક 69/131 પસાર કરવામાં આવ્‍યો હતો અને પ્રથમ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી 21 જૂન, 2015માં કરવામાં આવી હતી.
કાર્યક્રમની સાથે ‘‘યોગઃ જીવન જીવવાની તંદુરસ્‍ત રીત” વિષય પર પ્રેરણાબેન મહંત- યોગ કોચ ધરમપુરનું વ્‍યાખ્‍યાન યોજાયું હતું. જેમાં તેમણે યોગ અને વિવિધ આસનોના અભ્‍યાસથી આરોગ્‍યને થતાં ફાયદાઓ જણાવ્‍યા હતા. યોગ વિષય પર ક્‍વિઝનું આયોજન ઓનલાઈન અને ઓફલાઈન માધ્‍યમથી પણ કરવામાં આવ્‍યું હતું. જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર ઈમેલ દ્વારા મોકલવામાં આવ્‍યા હતા.
કાર્યક્રમ દરમિયાન કેડી કન્‍યા છાયાત્રાલય નગારીયાની વિદ્યાર્થીનીઓએ સંગીતમય પ્રસ્‍તુતિ પર યોગનૃત્‍ય કર્યું હતું જે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું.
જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુરના એજ્‍યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડ અને જિલ્લા વિજ્ઞાન અધિકારી શ્રી અશોક જેઠેનામાર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર તથા રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસ – ધરમપુરના કર્મચારીઓ અને કેડી કન્‍યા છાત્રાલય નગારીયાની વિદ્યાર્થીનીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.

Related posts

તિઘરામાં લગ્ન ઘરે મરશિયા ગવાયા: લગ્ન મંડપની દોરી લેવા જનાર વરરાજાનું અકસ્‍માતમાં કરુણ મોત

vartmanpravah

વડોદરા-મુંબઈએક્‍સપે્રસ-વેમાં સંપાદિત જમીનના વળતરની રકમ ઓહિયા કરી જવાના ત્રણ જેટલા છેતરપીંડીના ગુના નોંધાયા

vartmanpravah

દાદરાની અમૂલ્‍યા એન્‍જિનિયર્સ કંપનીમાં કામ કરતા ઈસમને કંપનીના કામ અર્થે ભરૂચ કેમિકલ કંપનીમાં કા કરી પરત ફરતા થયું સ્‍કીન ઈન્‍ફેકશન

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અકસ્‍માતના બે બનાવ : નંદી મહારાજ કાર સાથે ભટકાયા : પાર્ક કરેલ ટ્રક સાથે એક્‍ટીવા ચાલક ભટકાયો

vartmanpravah

દેહરી પંચાયતે એમ્‍બ્‍યુલન્‍સની ઉપલબ્‍ધ કરેલી સુવિધા અને પીવાના શુદ્ધ પાણી માટે આર ઓ પ્‍લાન્‍ટની કામગીરીનું કરેલું ખાતમુહૂર્ત : દેહરીવાસીઓમાં આનંદની લાગણી

vartmanpravah

દાનહ અને દમણ-દીવનું રમત-ગમત ક્ષેત્રે પણ ઉઘડનારૂં ભાગ્‍યઃ કેન્‍દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આપેલી ગેરંટી

vartmanpravah

Leave a Comment