October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોદી સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણી કાર્યનો પ્રારંભ પરિયારી ગામથી કરાશે : આજે જન જાગૃતિ માટે પરિયારી કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણીની કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી રહી છે. આ માપણીની શરૂઆત દમણના પરિયારી ગામથી કરવામાં આવશે. જે અંતર્ગત આવતી કાલ તા.9 નવેમ્‍બર, 2022ના બુધવારે પરિયારી સ્‍થિત કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે. આ ગ્રામસભામાં ફરીથી જમીન માપણી સાથે સંબંધિત જાણકારી આપવામાં આવશે. જેમાં ફરીથી માપણીની કાર્યવાહી સિમિત સમયમાં પૂર્ણ કરી શકાય.
અત્રે નોંધનીય છે કે, દમણ જિલ્લામાં પોર્ટુગીઝ શાસન બાદ પહેલી વખત જમીનની માપણી વર્ષ 1970-1972માં થઈ હતી જે જૂની પધ્‍ધતિઓથી કરવામાં આવી હતી. એની કડીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાનથી ભારત સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન મુજબ ડિજિટલ ઈન્‍ડિયા જમીન રેકોર્ડ અદ્યતનીકરણ ક્રાર્યક્રમ મુજબ થનારી આ જમીન માપણી આધુનિક ટેક્‍નીક અને સાધનોના ઉપયોગથી કરવામાં આવશે.
અત્રેઉલ્લેખનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે, પ્રદેશની જનતાને તમામ સુવિધાઓ આધુનિક ટેક્‍નીકલ માધ્‍યમોના ઉપયોગથી ઉપલબ્‍ધ કરાવી શકાય. હાલમાં જ દમણના મામલતદાર કાર્યાલયની પ્રમાણપત્રો અને અન્‍ય દસ્‍તાવેજી સુવિધાઓને ઓનલાઈન કરી દેવામાં આવી છે. ત્‍યારબાદ જમીન માપણી પણ નવી રીતે કરીને જીઆઈએસ આધારિત નકશા તૈયાર કરવામાં આવશે.

Related posts

આજે દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

વાપીની વર્તમાન નગરપાલિકાની ગુરૂવારે અંતિમ સામાન્‍ય સભા મળશે : મહાનગરપાલિકાની પ્રક્રિયા શરૂ થશે

vartmanpravah

લ્‍યો કરો વાત…દુધનીના ચોકીપાડા ખાતે સ્‍મશાન સુધી જવાના રસ્‍તાનું કામ છેલ્લા 39 વર્ષથી પડતર : શાસન-પ્રશાસને પણ નહીં સાંભળતા છેલ્લે લોકશક્‍તિએ બનાવેલો કાચો રસ્‍તો

vartmanpravah

જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્‍ચે અકસ્‍માત: વાપીના એક જ પરિવારના ત્રણ લોકોના મોત

vartmanpravah

પારડીમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્‍તે 4 કરોડ 50 લાખના રસ્‍તાઓનું ખાતમુહૂર્ત

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને છેલ્લા 8 વર્ષમાં પ્રાથમિક શિક્ષણથી લઈ યુનિવર્સિટી સ્‍તર સુધીના શિક્ષણને લોકાભિમુખ-વિદ્યાર્થીલક્ષી બનાવવા કરેલા અનેક પ્રયાસો

vartmanpravah

Leave a Comment