April 19, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોદી સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણી કાર્યનો પ્રારંભ પરિયારી ગામથી કરાશે : આજે જન જાગૃતિ માટે પરિયારી કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણીની કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી રહી છે. આ માપણીની શરૂઆત દમણના પરિયારી ગામથી કરવામાં આવશે. જે અંતર્ગત આવતી કાલ તા.9 નવેમ્‍બર, 2022ના બુધવારે પરિયારી સ્‍થિત કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે. આ ગ્રામસભામાં ફરીથી જમીન માપણી સાથે સંબંધિત જાણકારી આપવામાં આવશે. જેમાં ફરીથી માપણીની કાર્યવાહી સિમિત સમયમાં પૂર્ણ કરી શકાય.
અત્રે નોંધનીય છે કે, દમણ જિલ્લામાં પોર્ટુગીઝ શાસન બાદ પહેલી વખત જમીનની માપણી વર્ષ 1970-1972માં થઈ હતી જે જૂની પધ્‍ધતિઓથી કરવામાં આવી હતી. એની કડીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાનથી ભારત સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન મુજબ ડિજિટલ ઈન્‍ડિયા જમીન રેકોર્ડ અદ્યતનીકરણ ક્રાર્યક્રમ મુજબ થનારી આ જમીન માપણી આધુનિક ટેક્‍નીક અને સાધનોના ઉપયોગથી કરવામાં આવશે.
અત્રેઉલ્લેખનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે, પ્રદેશની જનતાને તમામ સુવિધાઓ આધુનિક ટેક્‍નીકલ માધ્‍યમોના ઉપયોગથી ઉપલબ્‍ધ કરાવી શકાય. હાલમાં જ દમણના મામલતદાર કાર્યાલયની પ્રમાણપત્રો અને અન્‍ય દસ્‍તાવેજી સુવિધાઓને ઓનલાઈન કરી દેવામાં આવી છે. ત્‍યારબાદ જમીન માપણી પણ નવી રીતે કરીને જીઆઈએસ આધારિત નકશા તૈયાર કરવામાં આવશે.

Related posts

દાનહ અને દમણ-દીવના વીજ ગ્રાહકો માટે ગયા વર્ષની તુલનામાં 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરવાની સાથે શરૂ થયો

vartmanpravah

વાપી વસાહતના વિવિધ પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સાથે કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં રીવેરા-22-23 થીમ ઉપર ઈન્‍ટર સ્‍કૂલ-કોલેજ પ્રતિભા કોમ્‍પિટિશન યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપની દીવ ખાતે મળેલી કાર્યકારિણીમાં પક્ષના જનાધારને વધારીલોકોને પાર્ટી સાથે જોડવા થયેલું મનન-મંથન

vartmanpravah

સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ દીવ દ્વારા દિવ્‍યાંગ બાળકો માટે અસેસમેન્‍ટ કેમ્‍પનું આયોજન

vartmanpravah

આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્‍વામિનારાયણના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીના પગરણથી કરાશે

vartmanpravah

Leave a Comment