Vartman Pravah
Breaking NewsOtherચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

ધનતેરસથી દાનહ-દમણ સહિતના વેપારીઓએ ચોપડાઓની કરેલી ખરીદી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30: ધનતેરસના દિવસે સેલવાસ અને દમણ સહિત દાનહના વેપારીઓ દ્વારા સોના-ચાંદીની ખરીદી સાથે પૂજાવિધિ માટે ચોપડાઓની પણ ખરીદી કરવામાં આવી હતી. હાલમાં ડિજિટલ યુગનો જમાનો હોવા છતાં પણ વેપારીઓ દ્વારા ચોપડાઓમાં કાચી નોંધ રાખવામાં આવતી હોયછે, જેને લઈને વેપારીઓના જણાવ્‍યા પ્રમાણે કોમ્‍પ્‍યુટરમાં જો કોઈ પ્રોબ્‍લમ થાય તો ડેટા ગુમ થઈ જાય છે જેથી જો ચોપડાઓમાં નોંધ રાખવામાં આવે તે સહેલાઈથી મળી રહે.
સેલવાસના કિરણ બુક સ્‍ટોરના માલિકના જણાવ્‍યા અનુસાર કેટલીક કંપનીવાળાઓ તેમજ જુના વેપારીઓ અને નાના વેપારીઓ ખાસ ચોપડાઓની ખરીદી કરે છે. આમ આજે ધનતેરસના પર્વએ આખો દિવસ વેપારીઓ વિવિધ ખાતાવહીઓ જેવી ચોપડાની ખરીદી કરતા નજરે પડયા હતા.

Related posts

રામાયણ ઉપર વિદ્યાર્થીઓની પરીક્ષાનો દેશભરમાં પ્રથમ પ્રયાસ વલસાડથી : 8 હજાર બાળકોએ પરીક્ષા આપી

vartmanpravah

જિલ્લા સ્‍તરીય પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને ચીખલીમાં તંત્રએ હાઇવે ચાર રસ્‍તાથી રેફરલ હોસ્‍પિટલ સુધી બંને બાજુના લારી-ગલ્લાવાળાના દબાણો હટાવ્‍યા

vartmanpravah

પિપરિયા તરફ પ્રયાણ  યુવાનો સામે પહેલી સમસ્‍યા ઉભી થઈ તે સિલવાસાના પોર્ટુગીઝ જાસૂસોની

vartmanpravah

વલસાડ અબ્રામામાં આર.એન. સૃષ્‍ટિ સોસાયટીમાં તસ્‍કરોનો તરખાટ : ચાર મકાનના તાળા તોડયા

vartmanpravah

દાનહ જિ.પં.ની ચૂંટાયેલી પાંખની ઉદાસિનતાથી ઈરીગેશન વિભાગના 400થી વધુ કર્મીઓ છેલ્લા 4 મહિનાથી પગારથી વંચિત

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા પં. દીન દયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિને ‘અંત્‍યોદય સંકલ્‍પ’ દિવસ તરીકે મનાવાયો

vartmanpravah

Leave a Comment