January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ એ.મુથમ્‍માની પુડ્ડુચેરી બદલીઃ દિલ્‍હીથી 2012 બેચના આઈ.એ.એસ. અધિકારી એ. ગોપી ક્રિષ્‍ણાનું સંઘપ્રદેશ આગમન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અનિલ કુમાર સિંઘ અને સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ શ્રીમતી એ.મુથમ્‍માની બદલીના આદેશો ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્‍યા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના સલાહકાર 1995 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીનો આદેશ કરાયો છે. તેમના સ્‍થાને પ્રશાસશ્રીના સલાહકાર તરીકે 2002 બેચના શ્રી વિકાસ આનંદની બદલી કરાઈ છે.
2009બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી એ.મુથમ્‍માની પુડ્ડુચેરી બદલીનો આદેશ કરાયો છે. તેમના સ્‍થાને 2012 બેચના શ્રી એ. ગોપી ક્રિષ્‍ણાને મુકાયા છે.
અત્રે નોંધનીય છે કે, પ્રશાસકશ્રીના સલાહકાર તરીકે નિયુક્‍ત કરાયેલા 2002 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી વિકાસ આનંદ ભૂતકાળમાં દીવ અને દમણના કલેક્‍ટર તરીકેની ફરજ બજાવી ચુક્‍યા છે.

Related posts

કરમબેલીમાં સ્‍કેપના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

ધરમપુર આરએસએસદ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 41 નિઃશુલ્‍ક મોતિયા બિંદ ઓપરેશન કરાયા

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડના ડીઆઈજી એસ.એસ.એન. વાજપેયીને દિલીપનગર ડેવલપમેન્‍ટ એસોસિએશન દ્વારા આપવામાં આવી રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ

vartmanpravah

દમણમાં પુલ દુર્ઘટના બાદ શરૂ કરાયેલી મફત બસ સેવાના કારોબારે તે સમયે પેદા કરેલા ભારે ભેદભરમો

vartmanpravah

જે.પી.પારડીવાલા આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા-પારડી ખાતે એનએસએસના ઉપક્રમે ઈ-એફઆઈઆર એપની માહિતીના કાર્યક્રમનું આયોજન

vartmanpravah

Leave a Comment