દરેક ગ્રામજનોને ‘નલ સે જલ’ યોજના અંતર્ગત પીવાના પાણી માટે નળ જોડાણ આપવામાં આવશેઃ જિ.પં. પ્રમુખ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10 દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવર અને ઉપ પ્રમુખ શ્રી દિપક પ્રધાને રખોલી ગ્રામ પંચાયત અને આજુબાજુના વિસ્તારની મુલાકાત કરી હતી અને ગામના વિવિધ પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે ચર્ચા-વિચારણાં કરી હતી. આ દરમિયાન જિ.પં. પ્રમુખ અને ઉપ પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીની પહેલ અંતર્ગત ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ગામના કેટલાક ઘરોમાં પીવાના પાણી માટેના નળ જોડાણ આપવાના બાકી છે તેઓને પણ વહેલી તકે જોડાણ આપવામાં આવશે. ઉપરાંત ગામના કેટલાક વિસ્તારમાં પાણીની લાઈનનું કામ અધુરુ રહ્યું હતું તે હવે પૂર્ણતાને આરે હોવાનું તેઓએ જણાવ્યું હતું.
Next Post