April 24, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસકશ્રીના કાર્યક્રમને લઈ કરાયેલી સાફ-સફાઈઃ અધૂરા કામો પણ શરૂ કરી દેવાયા..!

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22
દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાશક શ્રી પ્રફુલભાઈ પટેલ આંબાબારી કૌંચામાં પંચાયત ઘરનું ભૂમીપૂજન અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વિતરણ કાર્યક્રમ સવારે આજે સવારે 9:30 વાગ્‍યે આયોજીત કરવામાં આવ્‍યો છે ત્‍યારે જેઓના સ્‍વાગત માટે જિલ્લા તંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગને લઈ સેલવાસ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્‍તારમાં પણ સફાઈ કરાવવામાં આવી રહી હતી. જ્‍યારે સેલવાસ-નરોલી રોડ પર ‘સ્‍માર્ટ સીટી’ અંતર્ગત જે ડિવાઈડરો હટાવવામાં આવ્‍યા હતા તે જગ્‍યા પર નવી ડિઝાઈનના ડિવાઇડરો લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ભૂમિપૂજન-વિતરણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામા સાંસદશ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખના નામો નહીં હોવાથી પ્રદેશની જનતામાં ચર્ચાનો વિષય બનવા પામ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક નિલેશ ગુરવની દિલ્‍હી બદલી : દિલ્‍હીથી વિકાસ અહલાવતની સંઘપ્રદેશ થ્રીડીમાં બદલી

vartmanpravah

કપરાડા અંભેટી ગામે પોલીસ સ્‍વાંગમાં આવેલ 5 ઈસમો ઘરમાં ઘૂસી રૂા.2.20 લાખ લૂંટ કરનારા ગેંગના બે આરોપી ઝડપાયા

vartmanpravah

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામોને પડોશના કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવા થઈ રહેલી હિલચાલ

vartmanpravah

ડાંગના શબરીધામ નજીક આવેલા પંપા સરોવરનો અદભૂત નજારો

vartmanpravah

વાપીમાં બુધવાર ગોઝારો સાબિત થયો : સ્‍કૂલ બસ અને કારના બે અકસ્‍માતમાં ત્રણ જીંદગી છીનવાઈ

vartmanpravah

Leave a Comment