Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસકશ્રીના કાર્યક્રમને લઈ કરાયેલી સાફ-સફાઈઃ અધૂરા કામો પણ શરૂ કરી દેવાયા..!

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22
દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાશક શ્રી પ્રફુલભાઈ પટેલ આંબાબારી કૌંચામાં પંચાયત ઘરનું ભૂમીપૂજન અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વિતરણ કાર્યક્રમ સવારે આજે સવારે 9:30 વાગ્‍યે આયોજીત કરવામાં આવ્‍યો છે ત્‍યારે જેઓના સ્‍વાગત માટે જિલ્લા તંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગને લઈ સેલવાસ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્‍તારમાં પણ સફાઈ કરાવવામાં આવી રહી હતી. જ્‍યારે સેલવાસ-નરોલી રોડ પર ‘સ્‍માર્ટ સીટી’ અંતર્ગત જે ડિવાઈડરો હટાવવામાં આવ્‍યા હતા તે જગ્‍યા પર નવી ડિઝાઈનના ડિવાઇડરો લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ભૂમિપૂજન-વિતરણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામા સાંસદશ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખના નામો નહીં હોવાથી પ્રદેશની જનતામાં ચર્ચાનો વિષય બનવા પામ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ત્રિ-દિવસીય દમણ મુલાકાતનો આરંભ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ)માં મહેંદી સ્‍પર્ધા અને કેશગૂંફનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપી જીઆઈડીસી છરવાડા રોડ રોફેલ કોલેજમાં પ્રોત્‍સાહન 2024 કાર્યક્રમ યોજાયો : વિદ્યાર્થીઓનું સન્‍માન કરાયું

vartmanpravah

વલસાડમાં રવિવારે સ્‍મશાન ભૂમિમાં 4 હજાર વૃક્ષો રોપાશે, 3 વર્ષ સુધી જતન પણ કરાશે

vartmanpravah

દાનહ ભાજપા દ્વારા રાંધા પટેલાદમાં સંગઠનાત્‍મક બેઠક યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment