Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસકશ્રીના કાર્યક્રમને લઈ કરાયેલી સાફ-સફાઈઃ અધૂરા કામો પણ શરૂ કરી દેવાયા..!

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22
દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાશક શ્રી પ્રફુલભાઈ પટેલ આંબાબારી કૌંચામાં પંચાયત ઘરનું ભૂમીપૂજન અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વિતરણ કાર્યક્રમ સવારે આજે સવારે 9:30 વાગ્‍યે આયોજીત કરવામાં આવ્‍યો છે ત્‍યારે જેઓના સ્‍વાગત માટે જિલ્લા તંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગને લઈ સેલવાસ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્‍તારમાં પણ સફાઈ કરાવવામાં આવી રહી હતી. જ્‍યારે સેલવાસ-નરોલી રોડ પર ‘સ્‍માર્ટ સીટી’ અંતર્ગત જે ડિવાઈડરો હટાવવામાં આવ્‍યા હતા તે જગ્‍યા પર નવી ડિઝાઈનના ડિવાઇડરો લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ભૂમિપૂજન-વિતરણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામા સાંસદશ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખના નામો નહીં હોવાથી પ્રદેશની જનતામાં ચર્ચાનો વિષય બનવા પામ્‍યો હતો.

Related posts

ભીમપોર પટેલ ફળિયા સ્‍થિત જલારામ મંદિરમાં 36મી શ્રી જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીમાં ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ બેઠક યોજાઈ

vartmanpravah

આખરે… સંઘપ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણ હવે હાથવેંતમાં : ઉદ્યોગો પલાયન થવાની આશંકા

vartmanpravah

વલસાડ સ્‍ટેશન ગુજરાત કવીન ટ્રેનમાં યુવતિ આપઘાત પ્રકરણમાં સંસ્‍થાના સંચાલકો ઉપર ગુનો નોંધાયો

vartmanpravah

વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન 17મીસપ્‍ટેમ્‍બરે રોટરી ક્‍લબ દાનહ દ્વારા નિઃશુલ્‍ક મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

દાનહની કિલવણી ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બીજા કે ત્રીજા હપ્તાની બાકી રકમ તાત્‍કાલિક ચૂકવવા અપાયેલી સૂચના

vartmanpravah

Leave a Comment