(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.29
વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ હોલ ખાતે આજે તા. 30 જૂને સવારે 11 કલાકે રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજિવીકા મિશન અંતર્ગત સખી મંડળો માટે ક્રેડિટ કેમ્પયોજાશે. ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત આ કેમ્પમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સંસદ સભ્યશ્રી ડો. કે.સી.પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
Previous post