March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશના સંયુક્‍ત નાણાં સચિવ કરણજીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા બે બ્રાન્‍ચ મેનેજરોને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકમાં વહીવટદાર મુકાયા બાદ નિવૃત્ત થતા કર્મચારીઓને પોતાની ગ્રેજ્‍યુઈટી અને લીવ એન્‍કેશમેન્‍ટનો નિવૃત્તિના દિવસે જ મળતો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.30
દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના નાની દમણ શાખાના મેનેજર શ્રી નટવરભાઈ કે. પટેલ અને સોમનાથ શાખાના મેનેજર શ્રી અમ્રતભાઈ ડી. પટેલ આજે સેવા નિવૃત્ત થતાં તેમને બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશ પ્રશાસનના સંયુક્‍ત નાણાં સચિવ શ્રી કરણ જીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
દમણ-દીવ કો-ઓપરેટિવ બેંકના વહીવટદાર તરીકે શ્રી કરણ જીત સિંહ વાડોદરિયાની થયેલી નિયુક્‍તિ બાદ નિવૃત્ત થનારા બેંક કર્મીઓને નિવૃત્તિ દિવસે જ તેમનીગ્રેજ્‍યુઈટી અને લીવ એન્‍કેશમેન્‍ટ આપવાની પ્રથા શરૂ થઈ છે જેનો લાભ બંને નિવૃત્ત થનારા શાખા મેનેજરોને પણ મળ્‍યો હતો.
આજે નિવૃત્ત થયેલા શ્રી નટવરભાઈ કે. પટેલ અને અમ્રતભાઈ ડી. પટેલે બેંકમાં જુદા જુદા પદો ઉપર 28 વર્ષની લાંબી સેવા બજાવી હતી. તેઓ છેલ્લે બ્રાન્‍ચ મેનેજરના પદ ઉપર સેવા નિવૃત્ત થયા છે. આજે બેંકમાં આયોજીત કાર્યક્રમમાં બેંકના વિવિધ અધિકારીઓ અને સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સીબીએસઈ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામ: દમણ-દીવમાં ધોરણ 12નું 89.29 ટકા અને ધોરણ 10નું 94.17 ટકા આવેલું પરિણામ

vartmanpravah

પાલઘર રેલવે સ્‍ટેશન ઉપર મુંબઈ તરફ જતી માલગાડીના ડબ્‍બા ખડી પડતા વાપી રેલવે ફાટકે વાહન ચાલકો અટવાયા

vartmanpravah

ચીખલીમાં વિદેશ મોકલવાના બહાને 15-જેટલા લોકો સાથે છેતરપીંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

બાઈક પર ત્રિપ્‍પલ સવારી દરમિયાન એક વ્‍યક્‍તિ પડી જવાના બનાવમાં દાનહ જિલ્લા કોર્ટના સિવિલ જજ અને જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટ બી.એચ.પરમારે બાઈકચાલકને એક દિવસની જેલ અને રૂા.નવ હજાર રોકડનો ફટકારેલો દંડ

vartmanpravah

લ્‍યો કરો વાત..! છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી કચીગામ-ઝરીના બ્રિજની સ્‍ટ્રીટ લાઈટો બંધ છતાં જવાબદાર તંત્રનું ભેદી મૌન

vartmanpravah

નવસારી કમલમ ખાતે ભાજપની સંયુક્‍ત કારોબારીમાં આગામી લોકસભાની ચૂંટણીમાં સી.આર. પાટીલને દસ લાખ મતોની સરસાઈથી જીતાડવા હાકલ કરાઈ

vartmanpravah

Leave a Comment