April 20, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશના સંયુક્‍ત નાણાં સચિવ કરણજીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા બે બ્રાન્‍ચ મેનેજરોને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકમાં વહીવટદાર મુકાયા બાદ નિવૃત્ત થતા કર્મચારીઓને પોતાની ગ્રેજ્‍યુઈટી અને લીવ એન્‍કેશમેન્‍ટનો નિવૃત્તિના દિવસે જ મળતો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.30
દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના નાની દમણ શાખાના મેનેજર શ્રી નટવરભાઈ કે. પટેલ અને સોમનાથ શાખાના મેનેજર શ્રી અમ્રતભાઈ ડી. પટેલ આજે સેવા નિવૃત્ત થતાં તેમને બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશ પ્રશાસનના સંયુક્‍ત નાણાં સચિવ શ્રી કરણ જીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
દમણ-દીવ કો-ઓપરેટિવ બેંકના વહીવટદાર તરીકે શ્રી કરણ જીત સિંહ વાડોદરિયાની થયેલી નિયુક્‍તિ બાદ નિવૃત્ત થનારા બેંક કર્મીઓને નિવૃત્તિ દિવસે જ તેમનીગ્રેજ્‍યુઈટી અને લીવ એન્‍કેશમેન્‍ટ આપવાની પ્રથા શરૂ થઈ છે જેનો લાભ બંને નિવૃત્ત થનારા શાખા મેનેજરોને પણ મળ્‍યો હતો.
આજે નિવૃત્ત થયેલા શ્રી નટવરભાઈ કે. પટેલ અને અમ્રતભાઈ ડી. પટેલે બેંકમાં જુદા જુદા પદો ઉપર 28 વર્ષની લાંબી સેવા બજાવી હતી. તેઓ છેલ્લે બ્રાન્‍ચ મેનેજરના પદ ઉપર સેવા નિવૃત્ત થયા છે. આજે બેંકમાં આયોજીત કાર્યક્રમમાં બેંકના વિવિધ અધિકારીઓ અને સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

બિહારના મુખ્‍યમંત્રી નીતીશ કુમાર ભ્રષ્‍ટાચારના વિરૂદ્ધ ઝીરો ટોલરન્‍સની નીતિ ધરાવતા સમગ્ર દેશમાં એકમાત્ર નેતાઃ ધર્મેશસિંહ ચૌહાણ, દાનહ-દમણ-દીવ પ્રદેશ જનતાદળ(યુ) પ્રમુખ

vartmanpravah

પારડીના ડુમલાવમાં કોંગ્રેસ દ્વારા ઐતિહાસિક ખેડ સત્‍યાગ્રહ રેલી યોજાઈઃ મોટી સંખ્‍યામાં ખેડૂત ભાઈ-બહેનો રેલીમાં ઉમટયા

vartmanpravah

પાકિસ્‍તાનનું નિર્માણ તો 1947માં થયું, પરંતુ એ વિભાજનનું વાતાવરણ મુસ્‍લિમ સમાજે ગામેગામ અને શેરીઓમાં તોફાનો કરતા રહીને તૈયાર કર્યું હતું

vartmanpravah

દીવના છેલ્લા 31 વર્ષથી દગાચી ખાતે ગુરુનાનક જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આ વર્ષ પણ ગુરુ નાનક જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં તંત્ર સક્રિયઃ અત્‍યાર સુધી રૂા.46 લાખ રોકડા અને રૂા.9 લાખનો જપ્ત કરાયેલો દારૂ

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વાપી વિસ્‍તારના ગણેશ પંડાલની મુલાકાત લઈ દર્શન કર્યા

vartmanpravah

Leave a Comment