દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકમાં વહીવટદાર મુકાયા બાદ નિવૃત્ત થતા કર્મચારીઓને પોતાની ગ્રેજ્યુઈટી અને લીવ એન્કેશમેન્ટનો નિવૃત્તિના દિવસે જ મળતો લાભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.30
દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના નાની દમણ શાખાના મેનેજર શ્રી નટવરભાઈ કે. પટેલ અને સોમનાથ શાખાના મેનેજર શ્રી અમ્રતભાઈ ડી. પટેલ આજે સેવા નિવૃત્ત થતાં તેમને બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશ પ્રશાસનના સંયુક્ત નાણાં સચિવ શ્રી કરણ જીત સિંહ વાડોદરિયાની ઉપસ્થિતિમાં નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું.
દમણ-દીવ કો-ઓપરેટિવ બેંકના વહીવટદાર તરીકે શ્રી કરણ જીત સિંહ વાડોદરિયાની થયેલી નિયુક્તિ બાદ નિવૃત્ત થનારા બેંક કર્મીઓને નિવૃત્તિ દિવસે જ તેમનીગ્રેજ્યુઈટી અને લીવ એન્કેશમેન્ટ આપવાની પ્રથા શરૂ થઈ છે જેનો લાભ બંને નિવૃત્ત થનારા શાખા મેનેજરોને પણ મળ્યો હતો.
આજે નિવૃત્ત થયેલા શ્રી નટવરભાઈ કે. પટેલ અને અમ્રતભાઈ ડી. પટેલે બેંકમાં જુદા જુદા પદો ઉપર 28 વર્ષની લાંબી સેવા બજાવી હતી. તેઓ છેલ્લે બ્રાન્ચ મેનેજરના પદ ઉપર સેવા નિવૃત્ત થયા છે. આજે બેંકમાં આયોજીત કાર્યક્રમમાં બેંકના વિવિધ અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.