April 20, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ કલેક્‍ટરાલયમાં ભારતીય માનક બ્‍યુરોની અધિકારીઓ-કર્મચારીઓને આપવામાં આવેલી જાણકારી

સરકારી વિભાગો દ્વારા જારી કરાતા ટેન્‍ડરો અને ખરીદીમાં આઈએસઆઈ માર્કનું ધ્‍યાન રાખવા આપેલી સમજ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ કલેક્‍ટાલયના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓનો ભારતીય માનક બ્‍યુરો અને તેના કાર્યો અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા આઈએસઆઈ સુરતના નિર્દેશક શ્રી એસ.કે.સિંઘે સમાજમાં ગુણવત્તાયુક્‍ત સામાનનો ઉપયોગ અને ખરીદી માટે આઈએસઆઈ માર્કને ધ્‍યાનમાં રાખવા જરૂરી જાણકારી આપી હતી. તેમણે સરકારી વિભાગો દ્વારા જારી કરાતા ટેન્‍ડરો અને સરકારી ખરીદીમાં આઈએસઆઈ માર્ક વાળી વસ્‍તુઓના ઉપયોગ માટે અનુરોધ કર્યો હતો અને તેના મહત્‍વને પણ સમજાવ્‍યું હતું. તેમણે બીઆઈએસ કેર એપ અને ભારતીય માનક બ્‍યુરોની વેબસાઈટની બાબતમાં પણ જાણકારી આપી હતી.
આ પ્રસંગે કાર્યક્રમની સમાપન વિધિ ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ આટોપી હતી.

Related posts

ખારવેલની પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કીલ મેળો ઉજવાયો

vartmanpravah

વાપીમાં હિન્‍દુ પ્રીમિયર લીગ દ્વારા કબડ્ડી ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્નોત્‍સુકોનો પરિચય મેળો યોજાશે

vartmanpravah

સેલવાસ ઝંડાચોક સરકારી શાળાના વિદ્યાર્થીઓ બન્‍યા બેફામ : સ્‍કૂલ છુટવાના સમયે રોડ પર મારામારીના બનેલા બનાવો : શાળા છુટવાના સમયે પોલીસ બંદોબસ્‍ત રાખવો જરૂરી

vartmanpravah

બીડીસીએ દ્વારા ક્રિકેટ સિલેકશનનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ અરૂણ ટી.એ કચીગામ ખાતે સર્વેક્ષણ કામગીરીનું સ્‍થળ ઉપર જઈ કરેલું નિરીક્ષણ: ગામલોકો સાથે વાતચીત કરી સર્વેક્ષણનું સમજાવેલું મહત્‍વ

vartmanpravah

Leave a Comment