January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ લીલાપોર-સરોધી પુલ પાણીમાં ગરકાવ : જીવના જોખમે રાહદારી-વાહન ચાલકો પુલ ક્રોસ કરે છે

છીપવાડ-મોગરાવાડી અંડરપાસ બંધ થઈ જતા હાઈવે પહોંચવાનો એક માત્ર વિકલ્‍પ લીલાપોર પુલ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: પાછલા બે-ત્રણ દિવસથી વલસાડ જિલ્લામાં નોનસ્‍ટોપ મેઘરાજા ધનાધન બેટીંગ કરી રહ્યા છે. પરિણામે ઠેર ઠેર રોડ રસ્‍તા, ગરનાળા, પુલ પણ ચોમેર ઉભરાઈ રહ્યા છે. વલસાડ લીલાપોર-સરોધીને જોડતો પુલ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્‍યો છે. તેમ છતાં અન્‍ય કોઈ વિકલ્‍પ નહિ હોવાથી વાહન ચાલકો, રાહદારીઓ જીવના જોખમે લીલાપોર-સરોધી પુલનું ક્રોસીંગ કરવા લાચાર બની રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી આ સમસ્‍યાનો સામનો પ્રજા કરી રહી છે છતાં સરકાર કે તંત્ર પ્રજાને જરૂરી એવી સુવિધા આપવામાં તદ્દન નિષ્‍ફળ રહી હોવાનો કકળાટ હાલમાં પ્રચુર માત્રામાં વર્તાઈ રહ્યો છે.
વલસાડશહેરથી હાઈવે પહોંચવા માટે છીપવાડ, મોગરાવાડી રસ્‍તાનો ઉપયોગ થાય છે. પરંતુ વરસાદને લઈ આ અંડરપાસમાં પાણી ભરાઈ જતા બંધની સ્‍થિતિમાં મુકાઈ ચૂક્‍યા છે તેથી લોકો હાઈવે પહોંચવા માટેને એકમાત્ર વિકલ્‍પ લીલાપોર સરોધી પુલનો ઉપયોગ કરવા લાગ્‍યા હતા ત્‍યાં બે દિવસના વરસાદથી આ પુલ પર પણ પાણી ફરી વળતા હવે કાપરી ફાટક થઈને હાઈવે જવાની કપરી સ્‍થિતિ ઉભી થવા પામી છે. અલબત્ત સરકારી તંત્ર-એમ.પી.એસ.એલ.એ કોઈના પેટનું પાણી હાલતું નથી. પ્રજાને મુશ્‍કેલીમાં ધકેલી દીધી છે.

Related posts

ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલ દ્વારા વાપી-નાનાપોંઢામાં અટલજીના જન્‍મ દિને નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પ યોજાયા

vartmanpravah

સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી : તમામ આદિવાસી જાતિ એક મંચ પર

vartmanpravah

જીઈબીના ઈલેક્‍ટ્રીક 100 જેટલા મીટરો સાથે મોતીવાડાથી એક ઝડપાયો

vartmanpravah

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

vartmanpravah

vartmanpravah

રિલાયન્‍સ ફાઉન્‍ડેશને દાનહની 87 પ્રાથમિક શાળામાં બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

Leave a Comment