April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

ચીખલીમાં ઓબીસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદપત્ર અપાયું

કેન્‍દ્ર સરકારના બંધારણ મુજબ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં બક્ષીપંચ જ્ઞાતિના લોકકલ્‍યાણ માટે તમામ પ્રકારના અભ્‍યાસ, નોકરી તથા ચૂંટણીની બેઠકોમાં 27 ટકા અનામતનો અમલ થાય તેવી માંગ કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે ગુજરાત સિવાય અન્‍ય રાજ્‍યોમાં ઓબીસી જ્ઞાતિને તેમનો 27-ટકા અનામત પ્રતિનિધિત્‍વ લાભ મળી રહ્યો છે પરંતુ સમગ્ર ગુજરાતમાં ઓબીસી વર્ગમાં લગભગ 145 જ્ઞાતિનો સમાવેશ થયેલ છે અને ગુજરાતની કુલ જન સમૂહ સંખ્‍યાના આધારે લગભગ 52-ટકા વસ્‍તી ઓબીસી જ્ઞાતિઓ ધરાવે છે તેમ છતાં અમારી અન્‍ય પછાત જ્ઞાતિના જનસમુહને પૂરતો લાભ મળતો નથી જેથી ઓબીસી જ્ઞાતિની વસ્‍તીનાધોરણના આંકડાનું પુથ્‍થકરણ કરી રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યને તમામ સંસ્‍થાઓમાં તમામ પ્રકારના અભ્‍યાસ અને નોકરી સાથે વિધાનસભા લોકસભા તથા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં અનામત બેઠકો જાહેર કરી તેનો અમલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં ઓબીસી સમાજના ધવલ ગાંધી, મયંક પટેલ, ડી.બી.પટેલ, ડો.અશ્વિનભાઈ પટેલ, ધર્મેશભાઈ, સંજયભાઈ સમરોલી, નૈનેશ કાયસ્‍થ સહિતના આગેવાનો જોડાયા હતા.

Related posts

દમણઃ મરવડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગરપાલિકા વોર્ડ નંબર 7માં પ્રાથમિક શાળાનું થયું લોકાર્પણ

vartmanpravah

સરીગામ ખાતે યોજાયેલા પોલીસ લોક દરબારમાં એક પણ ફરિયાદ સામે ના આવતા પોલીસ કથાકાર અને ઉપસ્‍થિત આગેવાનોની મુક પ્રેક્ષક જેવી નિર્માણ થયેલી સ્‍થિતિ

vartmanpravah

વલસાડના એમ માર્ટ- મનોજ એન્‍ટરપ્રાઈઝીસમાંથી વસુધારા ડેરીના નકલી ઘી ના પાઉચ મળતા ચકચાર

vartmanpravah

કુકેરી ગામે રાત્રી દરમ્‍યાન લટાર મારતા બે દીપડાનો વીડિયો વાઈરલ થતાં સ્‍થાનિકોમાં ગભરાટ

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન પરિસરમાં ફરી દિપડો દેખાતા પ્રશાસન અને વન વિભાગ સક્રિય

vartmanpravah

Leave a Comment