Vartman Pravah
Breaking Newsદમણદેશસેલવાસ

પ્રવાસન વિભાગ દ્વારા તા.24થી 30 ઓગસ્‍ટ સુધી દમણ અને દાનહમાં યોજાનારો અફલાતૂન મોન્‍સૂન ફેસ્‍ટિવલઃ રમત-ગમત, મોજ-મસ્‍તી સાથે આનંદ-પ્રમોદનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ તા.24 થી 30 ઓગસ્‍ટ, 2023 સુધી પ્રદેશમાં મોન્‍સૂન ફેસ્‍ટિવલની ઉજવણી પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
ફેસ્‍ટિવલનો પ્રારંભ તા.24મી ઓગસ્‍ટે દમણના નમો પથ ઉપર કલ્‍ચરલ પરેડથી થશે અને આ ક્રમમાં 24 થી 30 ઓગસ્‍ટ, 2023 સુધી દૂધની જેટી પર બોટ રેસ, કબડ્ડી, વોલીબોલ, ટગ ઓફ વોર, ખો-ખો, સ્‍વિમિંગ, મેરેથોન સહિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે. તદ્‌ઉપરાંત 24 થી 30 ઓગસ્‍ટ સુધી દૂધની ટુરિસ્‍ટ કોમ્‍પલેક્ષમાં ટ્રેમ્‍પલિંગ, વોલ ક્‍લાઈમ્‍બિંગ, જેટ સ્‍કી, બનાના રાઈટ, ક્‍યાકિંગ સહિતની રમતોનું આયોજન પણ કરાશે.
24 થી 30 ઓગસ્‍ટ સુધી દાનહ અને દમણના બંને જિલ્લામાં સુફી ગઝલ નાઈટ, ભજન નાઈટ, લાઈવ બોલીવુડ, શાષાીય નૃત્‍ય, હાસ્‍યકવિ સંમેલન, ગુજરાતી ડ્રામા,સ્‍ટેન્‍ડઅપ કોમેડી, એરિયલ આર્ટ્‌સનું આયોજન કરવામાં આવશે.
દૂધનીમાં કેમ્‍પિંગ, હોમસ્‍ટે, ટ્રેકિંગનું પણ આયોજન કરાશે. જેના કારણે પ્રવાસીઓ અને સ્‍થાનિકો પ્રાકૃત્તિક સૌંદર્યની મઝા માણી શકશે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે ચોમાસા દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની કડીમાં આ વર્ષે પણ 24 થી 30 ઓગસ્‍ટ, સુધી પુરા ઉત્‍સાહ અને ઉમંગ સાથે સંઘપ્રદેશમાં મોન્‍સૂન ફેસ્‍ટિવલની ઉજવણી કરાશે.

Related posts

વલસાડમાં પ્રથમવાર પારનેરા ડુંગર પર રાજ્‍યકક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા યોજાઈ, 160 સ્‍પર્ધકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

વલસાડના અટક પારડીમાં યામાહા બાઈક શો રૂમ સ્‍ક્રેબ યાર્ડમાં આગ : આગમાં ચાર વાહનો ખાખ

vartmanpravah

વલસાડ જિલ્લા-તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો

vartmanpravah

દાદરા શ્રીમતી એમ.જી.લુણાવત સ્‍કૂલમાં કુપોષણ નિવારણ અંગે સેમીનાર યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં આમધરા ગામમાં વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારના વિરોધમાં ધરણા-પ્રદર્શન કરાયું

vartmanpravah

વાપી તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનો ડંકો : 17 કળતિમાં વિજેતાક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

Leave a Comment