April 28, 2024
Vartman Pravah
Breaking Newsદમણદેશસેલવાસ

પ્રવાસન વિભાગ દ્વારા તા.24થી 30 ઓગસ્‍ટ સુધી દમણ અને દાનહમાં યોજાનારો અફલાતૂન મોન્‍સૂન ફેસ્‍ટિવલઃ રમત-ગમત, મોજ-મસ્‍તી સાથે આનંદ-પ્રમોદનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ તા.24 થી 30 ઓગસ્‍ટ, 2023 સુધી પ્રદેશમાં મોન્‍સૂન ફેસ્‍ટિવલની ઉજવણી પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
ફેસ્‍ટિવલનો પ્રારંભ તા.24મી ઓગસ્‍ટે દમણના નમો પથ ઉપર કલ્‍ચરલ પરેડથી થશે અને આ ક્રમમાં 24 થી 30 ઓગસ્‍ટ, 2023 સુધી દૂધની જેટી પર બોટ રેસ, કબડ્ડી, વોલીબોલ, ટગ ઓફ વોર, ખો-ખો, સ્‍વિમિંગ, મેરેથોન સહિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે. તદ્‌ઉપરાંત 24 થી 30 ઓગસ્‍ટ સુધી દૂધની ટુરિસ્‍ટ કોમ્‍પલેક્ષમાં ટ્રેમ્‍પલિંગ, વોલ ક્‍લાઈમ્‍બિંગ, જેટ સ્‍કી, બનાના રાઈટ, ક્‍યાકિંગ સહિતની રમતોનું આયોજન પણ કરાશે.
24 થી 30 ઓગસ્‍ટ સુધી દાનહ અને દમણના બંને જિલ્લામાં સુફી ગઝલ નાઈટ, ભજન નાઈટ, લાઈવ બોલીવુડ, શાષાીય નૃત્‍ય, હાસ્‍યકવિ સંમેલન, ગુજરાતી ડ્રામા,સ્‍ટેન્‍ડઅપ કોમેડી, એરિયલ આર્ટ્‌સનું આયોજન કરવામાં આવશે.
દૂધનીમાં કેમ્‍પિંગ, હોમસ્‍ટે, ટ્રેકિંગનું પણ આયોજન કરાશે. જેના કારણે પ્રવાસીઓ અને સ્‍થાનિકો પ્રાકૃત્તિક સૌંદર્યની મઝા માણી શકશે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે ચોમાસા દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની કડીમાં આ વર્ષે પણ 24 થી 30 ઓગસ્‍ટ, સુધી પુરા ઉત્‍સાહ અને ઉમંગ સાથે સંઘપ્રદેશમાં મોન્‍સૂન ફેસ્‍ટિવલની ઉજવણી કરાશે.

Related posts

દાનહ રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્‍યાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસ સમારોહનું કરાયેલું આયોજન

vartmanpravah

વણાંકબારામાં એક પરિવારના તમામ સભ્‍યોને જીવતા સળગાવીને મારી નાખવા કરાયેલા પ્રયાસમાં દીવ પોલીસે આરોપીની કરેલી ધરપકડ: કોર્ટે 3 દિવસના મંજૂર કરેલા પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

દમણ જિલ્લામાં સર્વેનું કામ કરી રહેલ મેપ માય ઈન્‍ડિયાના કર્મીએ સર્વે અને ઘર નંબર અલગ કરવા રૂા.1000ની કરાયેલી માંગણીના સંદર્ભમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

દાદરા નગર હવેલીના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સાંસદ કલાબેન ડેલકરે પ્રશાસકશ્રીના સલાહકારને કરેલી રજૂઆત

vartmanpravah

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ૪૨૮ લાભાર્થીઓએ ગૃહપ્રવેશ કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૮ થી ૧૪ જાન્‍યુઆરી દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

Leave a Comment