Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

‘વિશ્વ વસતી દિવસ’ નિમિતે દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ દ્વારા ચિત્રકામ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ દ્વારા ખેડૂત ટ્રેનિંગ સેન્‍ટર ખાતે ‘વિશ્વ વસતી દિવસ’ નિમિતે ચિત્રકામ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં કેન્‍દ્રીય વિદ્યાલય, સેન્‍ટ ઝેવિયર્સ સ્‍કૂલ અને આલોક પબ્‍લીક સ્‍કૂલના 39 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો શુભારંભ ઉપ વન સંરક્ષક અધિકારી શ્રી રાજથિલક એસ, રેન્‍જર કિરણ પરમારના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરી કરવામાં આવ્‍યો હતો. ચિત્રકામ સ્‍પર્ધાનું નિરીક્ષણ દરમ્‍યાન વન સંરક્ષક અધિકારીશ્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા અને જણાવ્‍યું કે વસતી વધારો રોકવા માટે ચિત્રકામ સ્‍પર્ધાના માધ્‍યમથી બાળકોમાં એના પર રોક લગાવવાની જાગૃતિ આવશે જેનાથી આપણા ભવિષ્‍યમાં થનાર વસતી વધારા પર રોક લગાવવામાં સફળ થઈ શકીશું.
આ પ્રસંગે દરેક સ્‍કાઉટ ગાઈડને નર્સરી ફાર્મ પર જઈ ઝાડોની દેખરેખ અંગે જાણકારી મેળવવા એક ટ્રેનિંગ શિબિરનું પણ આહ્‌વાન કર્યું હતું સાથે આ અવસરે 300 ઝાડોનું રોપણ પણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

ભારે વરસાદથી વલસાડ જિલ્લામાં હજારો હેક્‍ટર પાક ધોવાણ બાદ સહાય જાહેરાતથી ખેડૂતોમાં ખુશી : માર્ગદર્શન અને ફોર્મના ફાંફા

vartmanpravah

ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશાક દવાઓની ખરીદીમાં સાવધાની રાખવા અપીલ

vartmanpravah

..હવે દાનહના રખોલી સ્‍થિત ભિલોસા કંપનીના કર્મચારી-કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

દમણ ન.પા.ના ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ નવરાત્રિના નવમા દિવસે કથિરિયા આંગણવાડી ખાતે કરેલું કન્‍યા પૂજન

vartmanpravah

સેલવાસ સાંઈ મંદિર નજીક મોપેડ સ્‍લીપ થતાં યુવતી ઘાયલ

vartmanpravah

કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વાપી મુક્‍તિધામની મુલાકાત લઈ કાર્ય પદ્ધતિની સરાહના કરી

vartmanpravah

Leave a Comment