April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

ઔરંગા નદીના પૂરમાં વલસાડ બેહાલ કરોડો રૂપિયાનું નુકશાન : અનેક વિસ્‍તારો આજે પણ પાણીમાં શહેર વેન્‍ટીલેટર ઉપર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: છેલ્લા બે દિવસ વલસાડ વિસ્‍તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા વલસાડ શહેરના નીચાણવાળા વિસ્‍તારો પૂરના પાણીનો ભોગ બની ચૂક્‍યા હતા. ઔરંગા નદીના ઘોડાપૂરે વલસાડ શહેરને બેહાલ કરી મુક્‍યું હતું. હજારો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. સરકારી તંત્ર દ્વારા ઠેર ઠેર રેસ્‍ક્‍યુ ઓપરેશનનો દોર લગાતારચાલતો રહેલો હતો. આ અતિવૃષ્‍ટિમાં વલસાડ શહેર અને આજુબાજુના 40 ઉપરાંત ગામો માટે હાર્ટલાઈન સમા લીલાપોર પીચીંગ પુલ અને કૈલાસ રોડ હનુમાન ભાગડા પુલ આ બન્ને પુલ સંપૂર્ણ રીતે ધોવાઈ જતા ચિંથરે હાલ બની ચૂક્‍યા છે. અવર જવર બંધ રખાયો છે. અનેક ગામોનો વલસાડ શહેર માટે સંપર્ક તૂટી ચૂક્‍યો છે.
વલસાડ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારને જોડતા ઔરંગા નદી ઉપર બે પુલ કાર્યરત છે. આ બન્ને પુલો શહેરના લીલાપોર, હનુમાન ભાગડા, કૈલાસ રોડ વિસ્‍તારને જોડે છે. બન્ને પુલ પૂરમાં બેહાલ થતા 40 ઉપરાંત ગામોનો વલસાડથી સંપર્ક તૂટી ચૂક્‍યો છે. હાલની અતિવૃષ્‍ટિએ કાશ્‍મિરનગર, તરીયાવાડ, વલસાડ પારડી, કૈલાસ રોડ, હનુમાન ભાગડા, લીલાપોર, ભદેલી જગાલાલા જેવા શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પૂરે ભયંકર તારાજી સર્જી છે. કરોડો રૂપિયાના સરસામાન, મકાનોનું નુકશાન થઈ ચૂક્‍યું છે. દાણાબજારમાં મોટા ભાગની દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓનો માલ-સામાન, ચિજવસ્‍તુ પાણીમાં તણાઈ ચૂક્‍યા છે. એમ પણ કહી શકાય કે વલસાડ હાલમાં વેન્‍ટીલેટર ઉપર છે તેવી ચોમેર નકરી તારાજી જ તારાજી વેરાયેલી જોવા મળી રહી છે.
—–

Related posts

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલની દિવાળી માનતા એવા ‘જેસીઆઈ વીક’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સેલવાસ ન.પા.એ ‘અગ્નિપથ’ યોજના રથને લીલી ઝંડી બતાવી રવાના કરી

vartmanpravah

અદાણી ફાઉન્‍ડેશન હજીરાએ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ અનોખી રીતે ઉજવ્‍યો

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

પારડીના પલસાણામાં વહેલી સવારે સોનાના ઘરેણા અને રોકડની લૂંટ

vartmanpravah

અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું: – શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને

vartmanpravah

Leave a Comment