January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મરોલી કોળીવાડ અને તળગામ ગામના માથે આવી પડેલી બીમારી નોતરે એવી ગંભીર આફત

વેસ્‍ટર્ન રેફ્રિજરેટર લિમિટેડ કંપનીની આજુબાજુ ચાર થી પાંચ કિલોમીટરના પરિધમાં બોરના પાણી પીવા લાયક ન રહેતા પર્યાવરણ બચાવ સમિતિ મરોલી વિસ્‍તારે જીપીસીબીનું દોરેલું ધ્‍યાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: ઉમરગામ તાલુકાના દરિયાકાંઠે તળગામ અને મરોલી કોળીવાડની સીમા ઉપર વેસ્‍ટર્ન રેફ્રિજરેટર લિમિટેડ કંપની રાજકીય આગેવાનના આશીર્વાદથી કાર્યરત છે. આ કંપની સામે ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવેલો છે. કંપની દ્વારા પ્રદૂષિત પાણી બહાર છોડવામાં આવતુ હોવાની ફરિયાદ પણ નજીકના ભૂતકાળમાં જીપીસીબીને કરવામાં આવેલી છે. પરંતુ કંપની સામે નક્કર કાર્યવાહી ન થતા હાલમાં પર્યાવરણ બચાવ સમિતિ મરોલી વિસ્‍તારની રચના કરી છે. અને જવાબદાર વિભાગ દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં ન આવે તો નેશનલ ગ્રીન ટીબ્‍યુનલ સુધી લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્‍યું છે.
પર્યાવરણ બચાવ સમિતિ મરોલી વિસ્‍તાર દ્વારા જીપીસીબીને કરેલી ફરિયાદ મુજબ કંપનીની આજુબાજુના બોરિંગોના પાણી પીવા લાયક રહ્યા નથી જેના કારણે ગ્રામજનો પર ગંભીર બીમારી નોતરે એવી આફત આવી પડી છે. કંપનીએ એમની પ્રિમાઈસીસમાં એક એકરનું પ્રદૂષિત પાણી સંગ્રહ કરવા માટે તળાવ બનાવેલું હોવાનો ગ્રામજનોએ ફરિયાદમાં જણાવ્‍યું છે.હાલમાં કંપની બોરિંગના મારફત આ પ્રકારનું પ્રદૂષિત પાણી ભૂગર્ભમાં ઉતારી રહી હોવાની પ્રબળ શકયતા વ્‍યક્‍ત કરી છે. જેના કારણે મરોલી કોળીવાડ અને તડગામ ગામના ભૂગર્ભ જળ પ્રદૂષિત થયા હોવાની શંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. આ સર્જાયેલી મુસીબત હવે ધીરે ધીરે વધુ ગંભીર સ્‍વરૂપ ધારણ કરે એવી અનુમાન ગ્રામજનો લગાવી રહ્યા છે જે જોતા સમસ્‍યાનો કાયમી નિકાલ લાવવો જરૂરી બની જવા પામ્‍યો છે.

Related posts

25-નવસારી સંસદીય મતવિસ્‍તાર માટે 35 નામાંકન રજૂ કરાયા: નામાંકનના અંતિમ દિને 24 નામાંકન રજૂ કરાયા

vartmanpravah

વલસાડ વિસ્‍તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા પુર જેવી સ્‍થિતિ સર્જાઈ

vartmanpravah

ધરમપુર કોંગ્રેસમાં યાદવાસ્‍થળી : કલ્‍પેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ ટિકિટના પ્રબળ દાવેદાર બનતા પૂર્વ સાંસદ કિશન પટેલને વાંકુ પડયું

vartmanpravah

વાપી મેઈન બજાર સ્‍થિત ઈબ્રાહિમ માર્કેટમાં સાતિર તસ્‍કરે પાંચ દુકાનના તાળા તોડયા

vartmanpravah

દમણની સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી અને એડવોકેટ બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે દમણઃ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં બાળમજૂરી નિષેધ દિવસના ઉપલક્ષમાં યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

Leave a Comment