Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મરોલી કોળીવાડ અને તળગામ ગામના માથે આવી પડેલી બીમારી નોતરે એવી ગંભીર આફત

વેસ્‍ટર્ન રેફ્રિજરેટર લિમિટેડ કંપનીની આજુબાજુ ચાર થી પાંચ કિલોમીટરના પરિધમાં બોરના પાણી પીવા લાયક ન રહેતા પર્યાવરણ બચાવ સમિતિ મરોલી વિસ્‍તારે જીપીસીબીનું દોરેલું ધ્‍યાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: ઉમરગામ તાલુકાના દરિયાકાંઠે તળગામ અને મરોલી કોળીવાડની સીમા ઉપર વેસ્‍ટર્ન રેફ્રિજરેટર લિમિટેડ કંપની રાજકીય આગેવાનના આશીર્વાદથી કાર્યરત છે. આ કંપની સામે ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવેલો છે. કંપની દ્વારા પ્રદૂષિત પાણી બહાર છોડવામાં આવતુ હોવાની ફરિયાદ પણ નજીકના ભૂતકાળમાં જીપીસીબીને કરવામાં આવેલી છે. પરંતુ કંપની સામે નક્કર કાર્યવાહી ન થતા હાલમાં પર્યાવરણ બચાવ સમિતિ મરોલી વિસ્‍તારની રચના કરી છે. અને જવાબદાર વિભાગ દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં ન આવે તો નેશનલ ગ્રીન ટીબ્‍યુનલ સુધી લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્‍યું છે.
પર્યાવરણ બચાવ સમિતિ મરોલી વિસ્‍તાર દ્વારા જીપીસીબીને કરેલી ફરિયાદ મુજબ કંપનીની આજુબાજુના બોરિંગોના પાણી પીવા લાયક રહ્યા નથી જેના કારણે ગ્રામજનો પર ગંભીર બીમારી નોતરે એવી આફત આવી પડી છે. કંપનીએ એમની પ્રિમાઈસીસમાં એક એકરનું પ્રદૂષિત પાણી સંગ્રહ કરવા માટે તળાવ બનાવેલું હોવાનો ગ્રામજનોએ ફરિયાદમાં જણાવ્‍યું છે.હાલમાં કંપની બોરિંગના મારફત આ પ્રકારનું પ્રદૂષિત પાણી ભૂગર્ભમાં ઉતારી રહી હોવાની પ્રબળ શકયતા વ્‍યક્‍ત કરી છે. જેના કારણે મરોલી કોળીવાડ અને તડગામ ગામના ભૂગર્ભ જળ પ્રદૂષિત થયા હોવાની શંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. આ સર્જાયેલી મુસીબત હવે ધીરે ધીરે વધુ ગંભીર સ્‍વરૂપ ધારણ કરે એવી અનુમાન ગ્રામજનો લગાવી રહ્યા છે જે જોતા સમસ્‍યાનો કાયમી નિકાલ લાવવો જરૂરી બની જવા પામ્‍યો છે.

Related posts

વાપી-પારડી વિસ્‍તારમાં અપરિપક્‍વ કેરી માર્કેટમાં ઠલવાતા ભાવો ગગડી ગયા

vartmanpravah

કપરાડા તાલુકામાં ફાયર સ્‍ટેશન માટે જાગૃત યુવાનો દ્વારા કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીને આપ્‍યું આવેદનપત્ર

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા અમલમાં આવેલ જુદા જુદા ગામોના જંત્રી દર : સૌથી વધુ દર બલીઠા, સૌથી ઓછો કુંતામાં

vartmanpravah

સેલવાસ અયપ્‍પા મંદિરમાં મંડલ પૂજા મહોત્‍સવની થયેલી પૂર્ણાહૂતી

vartmanpravah

પારડીના ખેડુતો દ્વારા હાઈટેન્‍સન લાઈનનો વિરોધ

vartmanpravah

ગુજરાત-મહારાષ્‍ટ્ર સરહદ ઉપર માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના અતિથિ ગૃહના નિર્માણનો આરંભ

vartmanpravah

Leave a Comment