September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લાની ૫ નગરપાલિકાઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમો દ્વારા સફાઇ કામગીરી શરૂ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા. 13: વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે ઔરંગા નદીમાં પુર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોને સ્થળાંતર કરાયા હતા. હાલમાં પાણી ઓસરતા આ વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નીકળે તેની જિલ્લા વહીવટી તંત્રેએ પુરતી તકેદારી રાખી સફાઈ કર્મચારીઓને કાફલો તૈનાત કરી દેવાયો છે. દિવસ રાત આ વિસ્તારોમાં સફાઈ કામગીરી થઈ રહી છે.

વલસાડમાં ઔરંગા નદીમાં આવેલા પુરને કારણે શહેરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ફરી વળતાં ઠેર ઠેર કીચડ અને કાદવનો ફેલાવો થયો છે. જેથી ચારેબાજુ ગંદકી ફેલાવાથી રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જેને ધ્યાનમાં લઈ વલસાડ વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારોમાં સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી છે. આજરોજ વલસાડ પાલિકાની ૧૦ ટીમના ૮૬ કામદારો, સુરત મહાનગર પાલિકાની ટીમના ૫૫, વાપી પાલિકાના ૩૦ તેમજ પારડી, ધરમપુર અને ઉમરગામ પાલિકાના કુલ ૩૬ કામદારો સહિત ૨૦૭ કામદારો દ્વારા સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે.

Related posts

ચેક રીટર્ન કેસમાં ચીખલીના ક્‍વોરી સંચાલકને એક વર્ષની કેદની સજાનો હુકમ

vartmanpravah

સેલવાસ નગર પાલિકાને મળેલો ઈ-ગર્વનન્‍સ-2020-21નો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર

vartmanpravah

સમસ્‍ત માહ્યાવંશી સમાજની વૈશ્વિક ઓળખના પર્યાય બનેલા કેપ્‍ટન અમૃતલાલ માણેક

vartmanpravah

આજથી ત્રણ દિવસ માટે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહના મહેમાન બનશે

vartmanpravah

દાનહમાં ધોરણ-10 અને 1રના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

ધરમપુરમાં સ્‍વર્ગવાહિની નદીના પુલની રેલિંગનો હિસ્‍સો ધસી પડયો : દબાયેલા બે નો ચમત્‍કારીક બચાવ

vartmanpravah

Leave a Comment