January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના જન્‍મ દિન નિમિત્તે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓને આપેલું તિથિ ભોજન

દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારની તમામ આંગણવાડીઓ અને પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક અને હાઈસ્‍કૂલના વિદ્યાર્થીઓ સાથે પણ કરેલી મુલાકાત અને વાતચીત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13
આજે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને વર્તમાન પ્રવાહ દૈનિકના તંત્રી શ્રી મુકેશ ગોસાવીએ પોતાના જન્‍મ દિવસ નિમિત્તે દમણવાડા પંચાયત વિસ્‍તારની તમામ આંગણવાડીઓ (નંદઘર) અને પ્રાથમિક, ઉચ્‍ચ પ્રાથમિક અને હાઈસ્‍કૂલમાં તિથિ ભોજનનું આયોજન કર્યું હતું.
આજે મોટી દમણના નવા જમ્‍પોર ખાતે પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક તથા હાઈસ્‍કૂલ અને ભામટી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા તથા દમણવાડા પંચાયતની 4 આંગણવાડીઓમાં સરપંચશ્રી દ્વારા ખીર અને પુરીનું તિથિ ભોજન કરાવવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ આંગણવાડીના સંચાલકો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલ સામે જારી થયેલું ધરપકડ વોરંટ

vartmanpravah

‘ફ્રાઈ ડે ડ્રાય ડે’ અભિયાન અંતર્ગત દાનહમાં ખતરનાક ડેન્‍ગ્‍યુને અટકાવવા માટે મચ્‍છરોના પ્રજનન સ્‍થળો નષ્ટ કરાયા

vartmanpravah

ભિલાડ ખાતે તાજેતરમાં યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસીઓની જોવા મળેલી પાંખી હાજરી

vartmanpravah

વલસાડ આર.ટી.ઓ. કચેરીમાં તા.૮મી એપ્રિલ સુધી ફોરવ્‍હીલર ડ્રાઈવિંગ ટેસ્‍ટ બંધ રહેશે

vartmanpravah

મલાવ ખાતે આરટીઓ અધિકારીએ નિયમ વિરુદ્ધ ચાલતી માટી ભરેલી બે ટ્રક સામે કરેલી કાર્યવાહી

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

vartmanpravah

Leave a Comment