June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 23 જૂન રવિવાર પોલીયો દિવસ અંતર્ગત સ્‍ટીયરીંગ કમિટીની મિટિંગ તથા વર્કશોપ યોજાયો

જિલ્લામાં કુલ 723 પોલીયો બુથો પર અંદાજીત 1,80,750 બાળકોને પોલીયોનાં ટીપા પીવડાવાશે

બાકી રહી ગયેલા બાળકોને બીજા અને ત્રીજા દિવસે 1146 ટીમ દ્વારા ટીપા પીવડાવવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: વલસાડ જિલ્લામાં આગામી તા.23 થી 25 જૂન 2024 દરમ્‍યાન પોલિયો ઝુંબેશ યોજવામાં આવશે. જિલ્લાના 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે.
‘‘નેશનલ ઈમ્‍યુનાઈઝેશન ડે” 23 જૂન 2024 ની કામગીરી અન્‍વયે તા.20/06/2024 નાં રોજ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષસ્‍થાને પોલિયો સ્‍ટીયરીંગ કમિટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા વહિવટી તંત્રના તમામ વિભાગના અધિકારી, કર્મચારીઓ હાજર રહ્યા હતાં.
વલસાડ જિલ્લા આરોગ્‍ય શાખા, સિવિલ હોસ્‍પિટલ, કેમ્‍પસ ખાતેનાં રોજ આગામી 23 જૂન રવિવાર પોલીયો દિવસ અંતર્ગત મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રીનાં અધ્‍યક્ષસ્‍થાને વર્કશોપ પણ યોજાયો હતો. જેમાં જિલ્લાનાં આરોગ્‍ય શાખાનાં અધિકારીઓ તથા પ્રા.આ.કેન્‍દ્રનાં મેડિકલ ઓફિસરોને પોલીયો દિવસ અંતર્ગતતાલીમ તથા કાર્યક્રમનાં દિવસોમાં કરવાની થતી કામગીરી અંગે વિસ્‍તૃત સમજ આપી માહિતગાર કરવામાં આવ્‍યાં હતા.
પોલીયોનાં આગળનાં દિવસો દરમ્‍યાન માઇક પ્રચાર, પોસ્‍ટરો, બેનરો, રેડિઓ જિંગલ, સોશિયલ મીડિયા દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવશે. જેથી 0 થી 5 વર્ષનું એકપણ બાળક પોલીયોનાં બે અમુલ્‍ય ટીપા પીવાથી વંચિત રહી ન જાય. પોલીયો દિવસ અંગે જિલ્લામાં તમામ આયોજન પુર્ણ કરવામાં આવ્‍યુ છે. જિલ્લામાં કુલ 723 પોલીયો બુથો પર અંદાજીત 1,80,750 જેટલા બાળકોને આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા પોલીયોનાં ટીપા પીવડાવવામાં આવશે. બીજા અને ત્રીજા દિવસે આરોગ્‍ય કર્મચારી 1146 ટીમ દ્વારા બાકી રહી ગયેલા બાળકોને ટીપા પીવડાવવામાં આવશે.
જિલ્લામાં ટ્રાન્‍ઝીસ્‍ટ ટીમો દ્વારા બસ ડેપો, રેલ્‍વે સ્‍ટેશનો, હાટ બજારો જેવા જાહેર સ્‍થળોએ પણ પોલીયોનાં બે ટીપા પીવડાવવામાં આવશે. આગામી 23 જૂન રવિવાર પોલીયો દિવસનાં રોજ 0 થી 5 વર્ષના તમામ બાળકોને નજીકના પોલિયો બુથ ઉપર જઈ પોતાના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માટે મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, વલસાડ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.
-000-

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ચીફ ઓફ સ્‍ટાફ એડમિરલ આર. હરી કુમાર સાથે પ્રદેશના હિતની કરેલી ચર્ચાવિચારણા

vartmanpravah

નર્સિગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

નવસારી ખાતે કૃષિ કાર્યક્રમ યોજાયો: નવસારી જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે અનુરોધ કર્યો

vartmanpravah

કપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિને સન્‍માન કરી પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવ્‍યું

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલના બાળકોએ વોલ પેઇન્‍ટિંગ વડે જાગૃતિ સંદેશ પહોંચાડ્‍યો

vartmanpravah

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ઉષાબેન નાયડુની અધ્‍યક્ષતામાં પારડી તાલુકા – શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી મળી

vartmanpravah

Leave a Comment