(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
પ્રજ્ઞામૂર્તિ ભગવાન ગૌત્તમ બુધ્ધ પૂર્ણિમાના પાવન પર્વની વાપીમાં બૌધ્ધધર્મીઓએ ભવ્ય ઉજવણી કરી હતી. શ્રૃતિ પરંપરાગત હિંદુ વેદ ધર્મના ભગવાન વિષ્ણુના દશાવતારોમાં પણ શ્રમણ-પરંપરાના ગૌત્તમ બુધ્ધને સ્થાન અપાયું છે. વાપીમાં બુધ્ધમ્ શરણમ્ ગચ્છામીના નારા સાથે ભવ્ય રેલી નિકળી હતી. સેલવાસ રોડ વી.આઈ.એ. સર્કલ થઈ વી.આઈ.એ.માં પૂર્ણ થઈ હતી. જ્યાં સભામાં ફેરવાઈ હતી.