July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ એન્‍ડ રિસર્ચમાં માનવાધિકાર દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન ફત્તેહસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં સમાજમાં સમાનતા ન્‍યાય અને સન્‍માનના મૂલ્‍યોને પ્રોત્‍સાહન આપવા યોજાયેલો કાર્યક્રમ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: સેલવાસ ખાતે આવેલ હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં માનવાધિકાર દિવસના અવસરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણના માર્ગદર્શન પર આ કાર્યક્રમનો ઉદ્દેશ્‍ય માનવાધિકારની મહત્તાને ઉજાગર કરવા અને સમાજમાં સમાનતા ન્‍યાય અને સન્‍માનના મૂલ્‍યોને પ્રોત્‍સાહન આપવાનો છે. આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યો હતો.
ત્‍યારબાદ એનએસએસ સ્‍વયંસેવકો દ્વારા નુક્કડ નાટક પ્રસ્‍તૃત કરાયું હતું. જેમાં ટ્રાન્‍સજેન્‍ડર સમુદાયના સંઘર્ષ અને એમની તાકાતને પ્રભાવશાળી ઢંગે પ્રસ્‍તૃત કર્યુ હતું. ત્‍યારબાદ વિદ્યાર્થીઓએ માનવાધિકાર સબંધિત વિષય પર વિચારો વ્‍યક્‍ત કર્યા હતા. કરીના પાંડેએ ટ્રાન્‍સજેન્‍ડર સમુદાય સામે આવતી તકલીફો પર અને નેહા અગ્રવાલે એમના અધિકારો અંગે અને ખુશ્‍બુ કલારિયાએ કાનૂની સુરક્ષા વિષય પર જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ સંસ્‍થાના ઉપાધ્‍યક્ષ શ્રી એ.ડી.નિકમે માનવાધિકાર પ્રત્‍યે જાગૃકતા અને સમાજમાં સમાનતાની ભાવના વિકસિત કરવાની આવશ્‍યકતા અંગે ચર્ચા કરી હતી. કાર્યક્રમનું સંચાલન આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર ખુશ્‍બુ મિશ્રા જૈન અને શ્રેયા પાઠક દ્વારા કરવામાં આવ્‍યુંહતું. આ અવસરે લાયન્‍સ ક્‍લબ ઓફ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણ, વાઈસ ચેરમેન શ્રી એ.ડી.નિકમ, શ્રી હીરાભાઈ પટેલ, ઈન્‍સ્‍ટિટયૂટના આચાર્ય ડો.શિલ્‍પા તિવારી, કો-ઓર્ડિનેટર લક્ષ્મી નાયર સહીત એનએસએસની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

દીવમાં જાહેર સ્‍થળો ઉપર દારૂના સેવન માટે પ્રશાસન સખ્‍ત : પકડાઈ જતા દંડાત્‍મક કાર્યવાહી કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગૌદાન અને પુસ્‍તક પરબની કામગીરી બદલ મોટાપોંઢાના પ્રાધ્‍યાપિકાને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા બિરદાવાયા

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસે અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોના માનસિક સામાજિક અને આર્થિક પુનર્વસન માટે સરકાર દ્વારા વિશેષ સહાયક યોજનાલાગુ કરવા પ્રગટ કરેલો મત

vartmanpravah

ચીખલીના ખુડવેલ ખાતે યોજાનારા ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમ માટે તૈયારીઓનો જારશોરથી ધમધમાટ શરૂ

vartmanpravah

ઉમરગામ મામલતદાર કચેરીમાં ખેડૂત ખાતેદારની ચાલી રહેલી ખરાઈ પ્રક્રિયાથી બોગસ ખેડૂત બનારાઓમાં સન્નાટો

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને પ્રદેશમાં સેવા દિવસ તરીકે મનાવાશે

vartmanpravah

Leave a Comment