Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની દેવકીબા ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં ગુરુ પૂર્ણિમાની કરાયેલી ઉજવણી

વિદ્યાર્થીઓએ શિક્ષકોનું કરેલું સન્‍માન-પૂજન 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14
સેલવાસ ખાતે આવેલ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ ખાતે બુધવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે ઉત્‍સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું ઉદ્‌ઘાટન લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફતેહસિંહ ચૌહાણ, ટ્રેઝરર શ્રી વિશ્વેશ દવે, કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સના પ્રિન્‍સિપાલ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ, લાયન્‍સના પ્રિન્‍સિપાલ ડો. સીમા પિલ્લાઈના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. અંગ્રેજી શાળા એ.એન. શ્રીધર, લાયન્‍સ ઈંગ્‍લિશ સ્‍કૂલના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ નિરાલી પારેખ, હવેલી લીગલ ઈન્‍સ્‍ટીટ્‍યૂટના વાઈસ પ્રિન્‍સિપાલ શિલ્‍પા તિવારીએ સંયુક્‍તપણે દીપ પ્રાગટ્‍ય કર્યું હતું. ત્‍યારબાદ ઉપસ્‍થિત તમામ મહાનુભાવોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શિક્ષકોને શુભેચ્‍છા પાઠવી હતી. વિદ્યાર્થીઓએ આકર્ષક પરફોર્મન્‍સ આપ્‍યું હતું.
વક્‍તાઓએ ગુરુ-શિષ્‍યપરંપરાની યાદ અપાવી હતી. કાર્યક્રમને સંબોધતા લાયન્‍સ ક્‍લબ ઓફ સિલ્‍વાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફતેહસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે પૌરાણિક કાળથી શિષ્‍ય પોતાનાગુરુની પૂજા કરે છે. તે ગુરુ-શિષ્‍ય પરંપરાનો અલૌકિક ઉત્‍સવ છે. જેમ પૂનમના સમયે ચંદ્ર તેની સંપૂર્ણ આભામાં હોય છે. તેવી જ રીતે પૂર્ણિમાના સમયે સદ્‌ગુરુ પોતાના સંપૂર્ણ તેજ અને શક્‍તિઓ સાથે પ્રગટ રહે છે. કાર્યક્રમમાં ડો. સીમા પિલ્લઈએ પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું.

Related posts

ધોરણ 10મા બોર્ડનું પરિણામ જાહેર: દાનહ અને દમણ-દીવનું 54.33 ટકા પરિણામઃ દમણમાં સૌથી ઓછું પરિયારી હાઈસ્‍કૂલનું 14.86 ટકા

vartmanpravah

કોવિડ રસીકરણનો બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 માસથી ઘટાડી 6 માસનો કરાયો

vartmanpravah

વાપીમાં રેલવે ઓવરબ્રિજને તોડી પાડવાનો હોવાથી વાંધા, સૂચનો તા. 13 ડિસેમ્‍બર સુધીમાં મોકલી આપવા જાહેરનામુ બહાર પડાયું

vartmanpravah

સમગ્ર પારડી દેશભક્‍તિના રંગમાં રંગાયું: ઠેરઠેર 75મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ફિજીના વડાપ્રધાન સિટીવેની રાબુકાજી અને નાયબ વડાપ્રધાન બિમન પ્રસાદે કરેલું ઉમળકાભેર ભાવભીનું અભિવાદન

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્‍ટને બરતરફ કરવા પ્રશાસને લીધેલા નિર્ણયનું સ્‍વાગત કરતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

Leave a Comment