July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
ઉત્તર ભારતીય લોકોનો પવિત્ર શ્રાવણ મહિનો 14મી જુલાઈ એટલે કે, ગુરુ પૂર્ણિમાના બીજા દિવસથી શરૂ થાય છે અને આજથી તેની શરૂઆત થઈ ચુકી છે. જેથી દમણ સહિત આસપાસના તમામ શિવમંદિરોમાં પૂજા-અર્ચનાનો પણ પ્રારંભ થઈ ગયો છે. તે જ સમયે, દર વર્ષની જેમ, નાની દમણના દલવાડા ખાતેના બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરમાં ગુરુ પૂર્ણિમાથી બાબા ભોલેનાથનો 45 દિવસીય અભિષેક શરૂ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુપૂર્ણિમાના દિવસથી દલવાડા ખાતે આવેલ બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા શરૂ થઈ ગઈ છે. મંદિરનાટ્રસ્‍ટી શ્રી અનિલ અગ્રવાલ સતત 45 દિવસ સુધી બાબા ભોલેનાથનો મહાભિષેક કરશે. આ દરમિયાન વાસુકીનાથ મંદિરમાં 45 દિવસ સુધી હજારો લોકો પવિત્ર શ્રાવણ મહિનામાં મહાભિષેક કરીને ભોલેનાથની પૂજા-અર્ચના કરવામાં વ્‍યસ્‍ત છે. બીજી તરફ, બાબા વાસુકીનાથના અભિષેક માટે દેશની તમામ ધાર્મિક અને પ્રતિષ્ઠિત નદીઓને પાણી, હજારો લિટર દૂધ, મધ, ભાંગ, ધતુરા સહિત ભગવાન શિવને પ્રિય સામગ્રીનો અભિષેક કરવામાં આવશે. મંદિરના આચાર્ય શ્રી અજય શર્માએ શિવ ભક્‍તોને અભિષેકમાં ભાગ લેવા માટે અગાઉથી મંદિર ટ્રસ્‍ટમાં નોંધણી કરાવવાની અપીલ કરી છે, જેથી તેમને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો કરવો નહીં પડે. નામ નોંધણી કરાવવા માટે આચાર્ય શ્રી અજય શર્માનો મો. નં. 99044 46666 અને ભૂપેન્‍દ્ર શર્મા 99091 13122 પર સંપર્ક કરી શકો છો. આ સાથે સોમનાથ સ્‍થિત શિવમંદિર, નાની દમણ સ્‍થિત ભાવભંજન મહાદેવ મંદિર સહિત અન્‍ય શિવાલયોમાં પણ શ્રાવણને ધ્‍યાનમાં રાખીને વિશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

Related posts

દાનહ આદિવાસી એકતા પરિષદ દ્વારા ટોરેન્‍ટ પાવર કંપની પાસેથી વીજ વિતરણનો કરાર રદ્‌ કરવા કલેક્‍ટરને રજૂઆત : પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

કેરી ચોર બાબતે ચીખલીના મીણકચ્‍છમાં બે પરિવાર વચ્‍ચે થયેલ ઝઘડામાં વૃધ્‍ધનું મોતઃ બે મહિલા સહિત 3 સામે હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

અષાઢી મેઘતાંડવમાં વાપી પૂર્વ વિસ્‍તાર વરસાદી પાણીમાં ગરકાવ

vartmanpravah

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસની ગુરુદેવ સોસાયટીમાં કોઈક વ્‍યક્‍તિએ ઝેરયુક્‍ત ખોરાક ખવડાવતા પાંચ ગલુડિયાંના થયેલા મોત

vartmanpravah

વલસાડના સરદાર પટેલ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલી અંડર-23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમાં ગુજરાત તરફથી રમતા દમણના સરલ પ્રજાપતિએ જમ્‍મુકાશ્‍મીરની ટીમ સામે કરેલું ભવ્‍ય પ્રદર્શનઃ ગુજરાતનો 8 વિકેટથી વિજય

vartmanpravah

Leave a Comment