March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકા અને આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોના વિવાદનો અંતઃ પાલિકાએ ગાઈડલાઈન જારી કરી દિશાનિર્દેશ આપ્‍યા

7500 રૂા. પેનલ્‍ટી, 10 હજાર ડિપોઝીટ તેમજ પ્રતિ હજાર લીટર 25 રૂા. પાણી ટેક્‍સ આર.ઓ. પ્‍લાન્‍ટ માટે નિયમો લાગુ કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી નગરપાલિકા વિસ્‍તારમાં કાર્યરત આર.ઓ. પ્‍લાન્‍ટ માટે પાલિકાએ તાજેતરમાં બંધ કરાવ્‍યા હતા. તે પછી વિવાદ ઉભો થયો હતો. બુધવારે આર.ઓ. સંચાલક અને પાલિકા વચ્‍ચે યોજાયેલ મિટિંગમાં સુખદ થયું હતું. પાલિકાએ આર.ઓ. પ્‍લાન્‍ટ અંગે ગાઈડલાઈન જારી કરી જરૂરી દિશાનિર્દેશ અપાયા હતા. આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોએ માન્‍ય રાખ્‍યા હતા.
પ્રારંભમાં પાલિકાએ 1 લાખ ડિપોઝીટ જમા કરવાનું સુચિત કર્યું હતુંતેથી આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોમાં રોષ ફેલાયો હતો. પરંતુ કેન્‍દ્ર સરકારની ભૂગર્ભ જળ યોજનાની ગાઈડલાઈન મુજબ પાલિકાએ આર.ઓ. ચલાવવા માટે નવી ગાઈડલાઈન જારી કરી છે તે મુજબ 7500 રૂા. પેનલ્‍ટી, 10 હજાર ડિપોઝીટ તેમજ પ્રતિ એક હજાર લીટર દીઠ રૂા.25 પાણી ટેક્ષ મુકરર કરાયો છે તે માટે મિટર બેસાડવા ફરજીયાત રહેશે તેવી આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલન માટે ગાઈડલાઈન જારી કરાઈ છે. ઉપરોક્‍ત નિર્ણય કેન્‍દ્ર સરકારની ગાઈડલાઈન હેઠળ લેવાયા છે. મિટિંગમાં પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, ઉપ પ્રમુખ અભય નાહર, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈ, ચિફ ઓફિસર તેમજ હાઈડ્રોલિક ઈજનેર સંજય ઝાએ ચર્ચા વિચારણા બાદ નિર્ણયો લીધા હતા. અંતે આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોના વિવાદનો મિટિંગમાં અંત આવ્‍યો હતો.

Related posts

કપરાડા પોલીસ મથકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલને પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે બઢતી મળી

vartmanpravah

ચીખલી પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી જુદા જુદા જિલ્લામાંથી ચોરી કરેલ 10 જેટલી મોટર સાયકલો સાથે 3 ચોરોને મહારાષ્‍ટ્રના કલવણથી ઝડપી પાડયા

vartmanpravah

મિશન 2024ને નજર સમક્ષ રાખી આજે દીવ ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીઃ યોગ્‍ય દાવેદારની પસંદગી માટે ભાજપ મોવડી મંડળે રાત સુધી શરૂ કરેલો મંત્રણાનો દૌર

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા સમર્પણ જ્ઞાન સ્‍કૂલને બેસ્‍ટ ક્રિએટિવિટી પેઇન્‍ટિંગ એવોર્ડ એનાયત

vartmanpravah

ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ક્ષતિગ્રસ્‍ત થયેલા રસ્‍તાઓના રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ દ્વારા તા.૨૦મી ડિસેમ્‍બરથી વલસાડ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન

vartmanpravah

Leave a Comment