August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ‘મિશન લક્ષદ્વીપ’ : સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ અહીના જીવન ધોરણને ઊંચુ લાવવા શરૂ કરેલી પ્રશાસનિક કવાયત

લક્ષદ્વીપના ઈતિહાસમાં પહેલી વખત શરૂ થનારી નર્સિંગ કોલેજથી વિદેશમાં કારકિર્દી ઘડવા ઈચ્‍છતી કન્‍યાઓને મળનારી સોનેરી તક : કેરલાની મોનોપોલી ઉપર લાગનારી બ્રેક
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) લક્ષદ્વીપ, તા.17
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે કવરતી ટાપુની મુલાકાત લઈ સઘન નિરીક્ષણ કર્યુ હતું. ‘મિશન લક્ષદ્વીપ’ને કામિયાબ બનાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનિયમિત સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ રહ્યા છે અને ત્‍યાંના જીવન ધોરણને ઊંચુ લાવવા માટે પ્રશાસનિક કવાયત તેજ કરાઈ છે.
લક્ષદ્વીપના ઈતિહાસમાં પહેલી વખત ઉચ્‍ચ શિક્ષણના દ્વાર ખોલવાની પહેલ નર્સિંગ કોલેજથી કરાઈ રહી છે. નર્સિંગ કોલેજનો આરંભ થવાથી લક્ષદ્વીપની નર્સની તાલીમ પામેલી કન્‍યાઓ માટે પોતાની કારકિર્દી વિદેશમાં ઘડવાની પણ ઉત્તમ તક પેદા થશે. અત્‍યાર સુધી નર્સિંગના વ્‍યવસાયમાં કેરલાની મોનોપોલી હતી.જે લક્ષદ્વીપમાં નર્સિંગ કોલેજના આરંભથી તૂટશે. જેનો લાભ લક્ષદ્વીપવાસીઓને ભરપૂર મળવાની સંભાવના છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કવરતી ખાતે પણ માળખાગત સુવિધાની સાથે અન્‍ય કાર્ય યોજનાની બાબતમાં આજે આગમન સાથે જ અધિકારીઓના ક્‍લાસ લેવાનો પણ પ્રારંભ કરી દીધો હોવાની જાણકારી મળી રહી છે.

Related posts

આજે બદલાયેલા દાનહ અને દમણ-દીવનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિના ફાળે જાય છે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્ર આત્મનિર્ભર થાય તે ઘણુ મહત્વનું છેઃ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા:- આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિ- વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ૨૩૫૯ કરોડના એમઓયુ થયા

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ દુકાનને લૂંટારુઓએ ટાર્ગેટ બનાવી ત્રાટકેલા બે લૂંટારુઓએ જવેલર્સના માલિક ઉપર છરા વડે જીવલેણ હુમલો કરી સોના-ચાંદીની લૂંટ ચલાવી ભાગી છૂટયા

vartmanpravah

વાપી ચલાથી ગુરુકુળ પાસે પિસ્‍તોલ વેચવા નિકળેલા બે યુવાનને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓની રાષ્‍ટ્રીય કક્ષાની ‘કરાટે સ્‍પર્ધા’ માટે પસંદગી : શાળા પરિવારે અભિનંદન પાઠવી કરેલી ઉજ્જવળ ભવિષ્‍યની કામના

vartmanpravah

Leave a Comment