April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સાયલીની એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીમાં શનિવારે મળસ્‍કે ફાટી નિકળેલી આગઃ જાનહાની ટળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : શનિવારે દાદરા નગર હવેલીના સાયલી ગામમાં આવેલ એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીના ગોડાઉનમાં મોડી રાત્રી દરમ્‍યાન અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સાયલી ગામની એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીના ગોડાઉનમાં મોડી રાત્રના ત્રણ વાગ્‍યાના સુમારે અચાનક આગ ફાટી નિકળી હતી. જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્‍યા હતા. આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. બાદમાં કંપની સંચાલકો દ્વારા ફાયરફાઈટર વિભાગને ફોન કરતા સેલવાસ, ખાનવેલ સહિત ખાનગી કંપનીની ફાયર ફાઈટરોની ટીમ ધસી આવી હતી અને આગને કાબુમાં લેવા ભારે મહેનત કરી હતી. કંપનીના ગોડાઉનમાં કાપડનો જથ્‍થો હોવાને કારણે વધુ આગ વધુ ઝડપથી પ્રસરી હતી. આગને નિયંત્રણમાં લેતા ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગ્‍યો હતો. આ આગને કારણે કંપનીને કરોડો રૂા.નું નુકસાન થવા પામ્‍યું છે. આ ઘટનામાં કોઈ ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા ડાયાબિટીસ ચેકઅપ અને અવેરનેસ સપ્તાહનું થયેલું આયોજન

vartmanpravah

વલસાડ વિભાગ એસટી કર્મચારી મંડળની સમાન્‍યસભા આંબેડકર હોલમાં યોજાઈ

vartmanpravah

રખોલી પુલ પરથી વધુ એક યુવાને મોતની લગાવેલી છલાંગ

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા પક્ષના 138મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહઃ પીપરીયા વિસ્‍તારમાં ગેરકાયદેસર કરેલા દબાણોને સેલવાસ ન.પા.એ હટાવ્‍યા

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

Leave a Comment