March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી આમધરાના ખેડૂત પાસે ફોન પર 1પ લાખની ખંડણી માંગી ધમકી આપનાર બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાકોર્ટે 2 દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા

એક આરોપી સગીર હોવાથી પૂછપરછ માટે બોલાવે ત્‍યારે હાજર રહેવાની શરતે મુક્‍ત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: મૂળ સિયાદા ગામના અને આમધરા ગામે સાસરામાં રહી ખેતીકામ કરતા પંકજભાઈ પટેલને ફોન ઉપર પંદર લાખ રૂપિયાની ખંડણી માંગી ન આપે તો તેમના પુત્ર સાથે ઉડાવી દેવાની ધમકી આપવાના બનાવે સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચાવી દીધી હતી.જોકે પોલીસે મોબાઈલ ફોનનું લોકેશન ટ્રેસ કરી પીપલગભણ વિસ્‍તારમાંથી આમધરા ગામના શિવાંગ બીપીન પટેલ અને પીપલગભણના રોનક રાજેશ પટેલ તથા એક સગીર સહિત ત્રણ જેટલાને ઝડપી પાડ્‍યા હતા.
ઉપરોક્‍ત બન્ને આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્‍ડની માંગણી કરતા નામદાર કોર્ટે બે દિવસના રિમાન્‍ડ મંજુર કરતા વધુ તપાસ હાથ ધરી હતી. જ્‍યારે સગીર આરોપીની માતાને નોટિશ આપી ફરી બોલાવે ત્‍યારે હાજર રહેવાની શરતે મુક્‍ત કર્યો હતો.
ખંડણી માંગવાના ગુનાના આરોપીઓ પૈકી શીવાંગ બીપીન પટેલ (રહે.આમધરા કોળીવાડ તા.ચીખલી)નો પરિવાર પંકજભાઈના ઘરે દૂધનું વેચાણ કરતો હતો અને બન્ને વચ્‍ચે નાણાકીય વ્‍યવહાર પણ ચાલતા હતા અને શિવાંગ પટેલ અગાઉ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલોહોવાનું જાણવા મળ્‍યું હતું. જોકે અગાઉ શિવાંગ પટેલે વ્‍યાજપેટે નાણાં લીધા હોવાની અને તે સમયસર ચૂકવી ન શકતા મૂળ રકમ સાથે પરત કરવાની રકમ વધી જતાં પંકજભાઈ પાસે જ ખંડણી માંગવાનો કારસો રચ્‍યો હોવાની ચર્ચા પણ પ્રકાશમાં આવી રહી છે. ત્‍યારે ખરેખર જો નાણાં વ્‍યાજ પેટે આપવામાં આવેલ હોય તો વ્‍યાજનો ધંધો અધિકળત રીતે કે બિન અધિકળત રીતે કરાતો હતો તે દિશામાં પણ પોલીસ તટસ્‍થ તપાસ કરે તો વધુ હકીકત બહાર આવે તેમ છે.

Related posts

તા.30મીએ નેશનલ પ્રોગ્રામ ઓન કલાઇમેટ ચેન્‍જ એન્‍ડ હ્યુમન હેલ્‍થની બેઠક મળશે

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓ કલા મહોત્‍સવમાં ઝળક્‍યા

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

આજે દાનહ અને દમણ-દીવની ફૂટબોલ ટીમ નેશનલ ચેમ્‍પિયનશીપની સંતોષ ટ્રોફીની મેચ રમવા જયપુર જવા પ્રસ્‍થાન કરશે

vartmanpravah

વાપી હાઈવે ઉપર કાર અકસ્‍માતમાં રાષ્‍ટ્રીય રાજપૂત કર્ણી સેના દમણના અધ્‍યક્ષ કનકસિંહ જાડેજાનું નિધન

vartmanpravah

સેલવાસ નગરપાલિકા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે દાનહમાં નવરાત્રીની ઉજવણી માટેની માર્ગદર્શિકા નક્કી કરવા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

Leave a Comment