April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી આમધરાના ખેડૂત પાસે ફોન પર 1પ લાખની ખંડણી માંગી ધમકી આપનાર બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાકોર્ટે 2 દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા

એક આરોપી સગીર હોવાથી પૂછપરછ માટે બોલાવે ત્‍યારે હાજર રહેવાની શરતે મુક્‍ત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: મૂળ સિયાદા ગામના અને આમધરા ગામે સાસરામાં રહી ખેતીકામ કરતા પંકજભાઈ પટેલને ફોન ઉપર પંદર લાખ રૂપિયાની ખંડણી માંગી ન આપે તો તેમના પુત્ર સાથે ઉડાવી દેવાની ધમકી આપવાના બનાવે સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચાવી દીધી હતી.જોકે પોલીસે મોબાઈલ ફોનનું લોકેશન ટ્રેસ કરી પીપલગભણ વિસ્‍તારમાંથી આમધરા ગામના શિવાંગ બીપીન પટેલ અને પીપલગભણના રોનક રાજેશ પટેલ તથા એક સગીર સહિત ત્રણ જેટલાને ઝડપી પાડ્‍યા હતા.
ઉપરોક્‍ત બન્ને આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્‍ડની માંગણી કરતા નામદાર કોર્ટે બે દિવસના રિમાન્‍ડ મંજુર કરતા વધુ તપાસ હાથ ધરી હતી. જ્‍યારે સગીર આરોપીની માતાને નોટિશ આપી ફરી બોલાવે ત્‍યારે હાજર રહેવાની શરતે મુક્‍ત કર્યો હતો.
ખંડણી માંગવાના ગુનાના આરોપીઓ પૈકી શીવાંગ બીપીન પટેલ (રહે.આમધરા કોળીવાડ તા.ચીખલી)નો પરિવાર પંકજભાઈના ઘરે દૂધનું વેચાણ કરતો હતો અને બન્ને વચ્‍ચે નાણાકીય વ્‍યવહાર પણ ચાલતા હતા અને શિવાંગ પટેલ અગાઉ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલોહોવાનું જાણવા મળ્‍યું હતું. જોકે અગાઉ શિવાંગ પટેલે વ્‍યાજપેટે નાણાં લીધા હોવાની અને તે સમયસર ચૂકવી ન શકતા મૂળ રકમ સાથે પરત કરવાની રકમ વધી જતાં પંકજભાઈ પાસે જ ખંડણી માંગવાનો કારસો રચ્‍યો હોવાની ચર્ચા પણ પ્રકાશમાં આવી રહી છે. ત્‍યારે ખરેખર જો નાણાં વ્‍યાજ પેટે આપવામાં આવેલ હોય તો વ્‍યાજનો ધંધો અધિકળત રીતે કે બિન અધિકળત રીતે કરાતો હતો તે દિશામાં પણ પોલીસ તટસ્‍થ તપાસ કરે તો વધુ હકીકત બહાર આવે તેમ છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણમાં ‘વિભાજનની ભયાનકતા’ના સ્‍મરણ દિવસ નિમિત્તે યોજાયેલ મૌન રેલી

vartmanpravah

યુઆઈએને હોસ્‍પિટલ પ્રોજેક્‍ટ યાદ અપાવવા પત્રકારો મેદાનમાં

vartmanpravah

પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા

vartmanpravah

સરીગામની કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કંપનીએ ઉમરગામ તાલુકાની શાળામાં પ્રારંભ કરેલો મેજિક ઇંગ્‍લિશ એસએલએલ કાર્યક્રમ

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં ભારે પવન સાથે વરસાદઃ કેટલાક ગામોમાં કરા પડયા

vartmanpravah

દાનહના માજી સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment