Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીથી આરોપીઓને નવસારી જેલમાં લઈ જતા ડુંગરી હાઈવે ઉપર એટેક આવતા કોન્‍સ્‍ટેબલનું મોત

પોલીસ કોન્‍સ્‍ટેબલ વિમલભાઈ પટેલ આરોપીઓને નવસારી જેલમાં લઈ જતા હતા ત્‍યારે મોત ભેટી ગયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓના રિમાન્‍ડ પુરા થતા નવસારી જેલમાં લઈ જવા નિકળેલા પોલીસ કોન્‍સ્‍ટેબલને ડુંગરી નજીક હાઈવે ઉપર હૃદયરોગનો હુમલો થતા મોત નિપજ્‍યુ હતું. ઘટના બાદ પોલીસ બેડામાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતા વિમલભાઈ જયંતિભાઈ પટેલ ગતરોજ રિમાન્‍ડ પુરા થયેલ આરોપીઓ નવસારી જેલ જ્‍યુડિશિયલ કસ્‍ટડીમાં લઈ જવા નિકળ્‍યા હતા. હાઈવે ડુંગરી નજીક તેમને હૃદયમાંદુઃખાવો ઉપડયો હતો. વાન ઉભી રાખી મેડીકલ સ્‍ટોર્સમાંથી દવા લીધા બાદ સારુ લાગતા તેઓ આગળ જવા નિકળ્‍યા હતા. પરંતુ હૃદયરોગનો હુમલો વધુ આવતા તેઓ ઢળી પડયા હતા. સાથે રહેલ સ્‍ટાફએ ડુંગરીની વૈદ્ય હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. પરંતુ ત્‍યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બાબતે મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલ કાજલબેન રામપરાએ ડુંગરી પો.સ્‍ટે.માં એ.ડી. નોંધાવી હતી.

Related posts

દીવની પ્રખ્‍યાત કોહિનુર હોટલ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણનું પ્રશાસન દ્વારા ડિમોલીશન કરાયું

vartmanpravah

વાપીના વિવિધ વિકાસ કામોને વધુ વેગથી પુરા કરવા પાલિકાની ટીમ ગાંધીનગર પહોંચી

vartmanpravah

મોટી દમણની પરિયારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં ‘નશામુક્‍ત ભારત’ની લેવામાં આવેલી પ્રતિજ્ઞા

vartmanpravah

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

કેન્‍દ્રિય રાજ્‍ય મંત્રી(આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય) કૌશલ કિશોરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા આયોજીત લાભાર્થી સંમેલન સંપન્નઃ લાભાર્થીઓને ચેક અને કિટનું કરાયેલું વિતરણ

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

Leave a Comment