June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં પશુપાલન ખાતાની ૧૫ ટીમો દ્વારા ૧૦૯ ગામોમાં સર્વે પૂર્ણ: અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. ૧૮: નવસારી જીલ્લામાં અતિવૃષ્ટિના લીધે આવેલા પૂરમાં નવસારી જિલ્લાના ૬ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સયુંકત પશુપાલન નિયામકશ્રી, ગાંધીનગર અને વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, વડોદરાના સીધા માર્ગદર્શન હેઠળ પશુપાલન ખાતાની ૧૫ ટીમો ના ૯૭ અધિકારી/કર્મચારીઓ દ્વારા ૧૦૯ ગામોમાં પશુમરણ સર્વે તેમજ જરૂરી પશુસારવાર અને પશુમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
જેમાં અત્યાર સુધીમાં સર્વે દરમ્યાન નવસારી પાંજરાપોળ ખાતે ૬૫ અને ગણદેવી તાલુકાના જુદા જુદા ગામોમાં કુલ ૧૩ પશુ અને ૧૫૦૩૫ મરઘાઓનું મરણ નોંધાયેલ છે .જેઓના મૃતદેહનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સર્વેની કામગીરી સાથોસાથ અત્યાર સુધી અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત અસરગ્રસ્ત ગામોમાં જિલ્લાના પશુદવાખાના દ્વારા તાત્કાલિક પશુસારવાર આપવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ ચાલુ કરવામાં આવ્યો છે.
વધુમાં જરૂરિયાતમંદ ગામોમાં આગામી દિવસોમાં પશુસારવાર કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આજદિન સુધી નવસારી, જલાલપોર, ખેરગામ અને વાંસદા તાલુકામાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે અયપ્‍પા મંદિરના ‘પ્રતિષ્‍ઠા દિનમ મહોત્‍સવ’માં લીધેલો ભાગ

vartmanpravah

લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં સર્વેલન્‍સ ટીમ દ્વારા એક સપ્તાહમાં રૂા.2.18 લાખની રોકડ અને રૂા.39,420નો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

નાની દમણના સોમનાથ ખાતે ફોર્ચુન ડી.પી.નેનો-1 યુવા મિત્ર મંડળ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્‍સવમાં પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની જિ.પં. સભ્‍ય રીનાબેન સાથે લીધેલો આરતીનો લ્‍હાવો

vartmanpravah

દાનહ લેબર વિભાગ દ્વારા વિવિધ પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો વલસાડ જિલ્લાનો બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ શાહુ પાસેથી 300 કરોડની રોકડ રકમ મળતા વલસાડ ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું

vartmanpravah

Leave a Comment