(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19
સરકારી હાઈસ્કૂલ પરિયારીના ઉપક્રમે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા પરિયારીનાસહયોગથી 61માં મુક્તિ દિવસની ઉજવણી શાળાના પટાંગણમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે પરિયારી ઉચ્ચ પ્રાથમિક શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રીમતી પુષ્પાબેન રાઠોડે ધ્વજારોહણ કર્યા બાદ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ‘મહેનતનો કોઈ પર્યાય નથી’ તેથી સખત મહેનત કરી પોતાના ધ્યેયને હાંસલ કરવા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે સરકારી હાઈસ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય શ્રી મહેશભાઈ પટેલ, પ્રાથમિક શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રીમતી મિનલબેન પટેલ અને તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન પરિયારી ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી તેજલબેન માહ્યાવંશીએ ખુબ જ સુંદર રીતે કર્યુ હતું.