Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

વલસાડ તાલુકાના સરપંચોએ બાંયો ચઢાવીઃ હાઈવેની મરામત ત્‍વરીત પુરી કરો નહીં તો ચક્કાજામ

વાઘલધરાથી ભિલાડ સુધીના જિલ્લાના હાઈવેએ ચારના ભોગ લીધા છે, વાહનો રોજ પલટી મારી જાય છે : સરપંચ સંઘ

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: સતત સાત દિવસ વરસેલા અતિ વરસાદે નેશનલ હાઈવેની ભયંકર ખાના ખરાબી સર્જી છે. વલસાડ જિલ્લામાં વાઘલધરાથી ભિલાડ સુધી હાઈવે પસાર થાય છે. આ હાઈવે ઉપર વરસાદમાં હજારો જગ્‍યાએ વિકરાળ ખાડા પડી ચૂક્‍યા છે. જેને લઈ વિતેલા એક સપ્તાહમાં ખાડાઓએ ચાર નિર્દોષના જીવ લીધા છે. હાઈવે ઓથોરીટીની બેદરકારી સામે આજે સોમવારે વલસાડ તાલુકા વિસ્‍તારના 45 જેટલા ગામોના સરપંચોએ બાંયો ચઢાવી હતી. વલસાડ કલેક્‍ટર કચેરીએ એકત્ર થઈ સરપંચોએ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી કે દિન પાંચમાં હાઈવે મરામત નહી થાય તો ચક્કાજામ કરી દઈશું તેવી ચિમકી પણ ઉચ્‍ચારી હતી.
વલસાડ જિલ્લામાં ગત સપ્તાહે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી હતી તેમાં નેશનલ હાઈવેએ પણ જવાબ આપી દીધો હતો. ભિલાડથી લઈ વાઘલધરા સુધી હજારો ખાડા પડી ચૂક્‍યા છે. જેને લઈ વલસાડ ડુંગરીનો એક આખો પરિવાર હાઈવેના ખાડામાં બાઈક પલટી મારી જતા અકસ્‍માતમાં નંદવાઈ ગયો હતો. વાપીમાં રાજપૂત કર્ણી સેના દમણના પ્રમુખનીગાડી પલટી જતા તેમનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યુ હતું. હાઈવે ઓથોરીટીની બેદરકારી અને હાઈવે મરામતના અભાવ સામે સમગ્ર જિલ્લામાં રોષ પ્રવર્તી રહ્યો છે. વલસાડ વિસ્‍તારના 45 ગામોના સરપંચોએ હાઈવે સમારકામ માટે માંગ બુલંદ કરી દિન પાંચમાં હાઈવે રીપેરીંગ નહી થાય તો ચક્કાજામ કરીશુ તેવી આવેદનપત્ર સાથે ચીમકી ઉચ્‍ચારી હતી.

Related posts

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોની વરણી

vartmanpravah

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ ખાતે લાખો રૂપિયાનો દારૂ પોલીસએ પકડી પાડયો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં વર્ષા ગીતોનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા ગ્રામવિકાસ એજન્‍સી દ્વારા અતુલ કંપની પ્રા.લિ.ના સહયોગથી શૌચાલયોનું પુનઃનિર્માણ/રેટ્રોફિટિંગ

vartmanpravah

વાપીમાં ગુમ થયેલ આધેડની એક મહિના બાદ છીરીમાં કન્‍ટ્રકશન સાઈટ ઉપર ફાંસો ખાલેલ લાશ મળી

vartmanpravah

Leave a Comment