October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં એસ.સી., એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓને પોસ્‍ટ મેટ્રિક સ્‍કોલરશીપ નહીં મળતાં પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

વર્ષ 2020-‘21 થી અત્‍યાર સુધી સ્‍કોલરશીપ નહીં મળી હોવાની કેફિયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલીના સરકારી અને ખાનગી કોલેજમાં ભણતા એસ.સી., એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓને વર્ષ 2020 અને 2021ની પોસ્‍ટ મેટ્રિક સ્‍કોલરશીપ નહીં મળતા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈને રજૂઆત કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓના જણાવ્‍યા અનુસાર સરકારી અને ખાનગી કોલેજમાં ભણતા એસ.સી., એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓને વર્ષ 2020 – ‘21થી લઈ અત્‍યાર સુધીની સ્‍કોલરશીપ મળેલ નથી, જે સંદર્ભે અમોએ વારંવાર શિક્ષણ વિભાગના અધિકારીઓને મળી રજૂઆત કરી હતી પરંતુ તેઓ દ્વારા થોડા દિવસોમા મળી જશે એવા જ વાયદા કરતા રહે છે. અમે સામાન્‍ય પરિવારના લોકો છીએ અમારા માતા-પિતા કોલેજની ફી ભરવા સક્ષમ નથી, એક-બે વર્ષની જેમ તેમ કરી અમારી ફી ભરી અમારુ શિક્ષણ નહીં બગડે એના માટે અમારી ફી ભરી છે, સરકાર દ્વારા સ્‍કોલરશીપ મળે છે એવી આશાએ અમારા ભવિષ્‍યનું ભણતર ભણવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો અમને સ્‍કોલરશીપ નહીં મળશે તો અમને અભ્‍યાસ માટેની જરૂરી સાધન-સામગ્રી ખરીદવામાંમુશ્‍કેલી થવા સંભાવના છે. આ સંદર્ભે અમે પ્રશાસકશ્રીને જલ્‍દી સ્‍કોલરશીપ મળે એવી રજૂઆત કરી છે.

Related posts

ધરમપુર-કપરાડાના ગામડાને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્‍ચેનો પુલ તૂટી જતા ભારે પેચીદી સમસ્‍યા સર્જાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા 6 એપ્રિલથી ‘ગાંવ ગાંવ ચલો, ઘર ઘરચલો’ અભિયાન શરૂ કરાશે

vartmanpravah

વાપી વિસ્‍તારમાં યોજાનાર ગણેશ મહોત્‍સવ સંદર્ભે પોલીસે 350 જેટલા ગણેશ આયોજકો સાથે મિટિંગ યોજી

vartmanpravah

શ્રી રામ શોભાયાત્રા સમિતિ દમણ દ્વારા મોટી દમણના મગરવાડાના દૂધીમાતા મંદિરના પટાંગણમાં વિરાટ સામૂહિક હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

બનાવટી કુલમુખત્‍યાર કરનારા જમીન પચાવી પાડનારા ગુનેગારોને નશ્‍યત કરવામાં આવશેઃ  મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી

vartmanpravah

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

vartmanpravah

Leave a Comment