September 7, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ-ભિલાડ નેશનલ હાઈવે માટે પ્રબળ જનઆક્રોશ બાદ હાઈવે ઓથોરીટીએ ખાડાપુરાણ આરંભ્‍યું

એનએચએઆઈએ 6 ટીમ મેદાનમાં ઉતારી : રોજ 8 થી 10 કી.મી. ખાડા પુરે તો પણ સમારકામ 10 દિવસ ચાલશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લા મધ્‍યે પસાર થતા નેશનલ હાઈવે-48 છેલ્લા સપ્તાહમાં વરસેલા અતિશય વરસાદમાં હાઈવે ખાડા રોડ બની ચૂક્‍યો છે. આંતરરાષ્‍ટ્રિય ડિઝાઈનનો કહેવાતો નેશનલ હાઈવેનું ર્ક્‍વાલીટીનું પોલ વરસાદે એક જ ધડાકે ખોલી નાખ્‍યું. ઠેર ઠેર પડેલા ખાડાઓમાં વાહનોના ઉપરાઉપરી અકસ્‍માતોમાં ચાર નિર્દોષજીંદગીનો હાઈવેએ ભોગ લીધો તેમજ બચેલા લોકો હોસ્‍પિટલના બિછાને છે. હાઈવેની દુર્દશા જોઈ લોકોમાિં વ્‍યાપક જનઆક્રોશ વ્‍યાપ્‍યો. રસ્‍તા રોકો ચક્કાજામના આંદોલન શરૂ થતા જ સુતેલી હાઈવે ઓથોરીટીની ઊંઘ ઉડી. રાતોરાત હાઈવે મરામત ખાડા પુરાણનું અભિયાન આદરી 6 જેટલી ટીમ નવસારીથી ભિલાડ સુધી ખાડાપુરાણ કામગીરી શરૂ કરી.
લોકોના વિરોધ બાદ એન.એચ.એ.આઈ.એ ખાડા પુરાણનો રોડ મેપ બનાવ્‍યો. જિલ્લામાં વાઘલધરાથી ભીલાડ સુધી સલવાવ બ્રિજ વગેરેની મરામત કામગીરી હાથ ધરી છે. પણ પરિણામ ઉપર નજર કરીએ તો રોજ સાત આઠ કે દશ કી.મી.ના ખાડા પુરતા 8 થી 10 દિવસ લાગશે તેથી એક દોઢ સપ્તાહ તો વાહન ચાલકોએ પટકાવું પડશે એ નિヘતિ છે. બીજુ આતો ખાડા પુરાણ થશે, આગળમાં વધુ વરસાદ પડશે તો પુનઃ આ ખાડા ઉઘાડા થઈને સ્‍થિતિ ઠેરના ઠેર રહેશે તે ચોક્કસ છે. કારણ કે કહેવાતી ઈન્‍ટરનેશનલ હાઈવેની ડિઝાઈનમાં પણ ભ્રષ્‍ટાચારે ક્‍વોલીટી અંગે ઘણી બાંધછોડ કરેલી સ્‍પષ્‍ટ દેખાઈ રહી છે તેનુ જીવંત ઉદાહરણ વર્તમાન હાઈવેની સ્‍થિતિ સ્‍પષ્‍ટ દર્શાવી ચૂક્‍યુ છે.

Related posts

વલસાડ એસટી ડિવિઝન કચેરી ખાતે સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત રક્‍તદાન કેમ્‍પ યોજાયો, 71 બોટલ એકત્ર થઈ

vartmanpravah

‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં સંઘપ્રદેશ દમણના બોક્‍સર સુમિતે ક્‍વાર્ટર ફાઈનલમાં દિલ્‍હીના બોક્‍સર કુલણાને 5-0થી આપેલી હાર

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની સંઘપ્રદેશ મુલાકાતના સંદર્ભમાં પ્રદેશ ભાજપ ઉદ્યોગ પ્રકોષ્ઠ દ્વારા ઉદ્યમીઓ સાથે કરાયેલું સંવાદ બેઠકનું આયોજન

vartmanpravah

સ્‍વ. ગૌતમસિંહ નટવરસિંહ ગોહિલ તેમજ સમસ્‍ત પિતૃઓના શ્રેયાર્થે આજથી નરોલીના ગૌરી શંકર બંગલો, ગોહિલ ફળિયા ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાને દીવ ન.પા.માં મળેલા વિજયની આપેલી જાણકારી 

vartmanpravah

બે વર્ષ પહેલાં ગુમ થયેલા પરિયારીના વિનોદ રામજી વારલીનો પરિવાર સાથે મેળાપ થતાં સંવેદનશીલ બનેલું વાતાવરણ

vartmanpravah

Leave a Comment