January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ-ભિલાડ નેશનલ હાઈવે માટે પ્રબળ જનઆક્રોશ બાદ હાઈવે ઓથોરીટીએ ખાડાપુરાણ આરંભ્‍યું

એનએચએઆઈએ 6 ટીમ મેદાનમાં ઉતારી : રોજ 8 થી 10 કી.મી. ખાડા પુરે તો પણ સમારકામ 10 દિવસ ચાલશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લા મધ્‍યે પસાર થતા નેશનલ હાઈવે-48 છેલ્લા સપ્તાહમાં વરસેલા અતિશય વરસાદમાં હાઈવે ખાડા રોડ બની ચૂક્‍યો છે. આંતરરાષ્‍ટ્રિય ડિઝાઈનનો કહેવાતો નેશનલ હાઈવેનું ર્ક્‍વાલીટીનું પોલ વરસાદે એક જ ધડાકે ખોલી નાખ્‍યું. ઠેર ઠેર પડેલા ખાડાઓમાં વાહનોના ઉપરાઉપરી અકસ્‍માતોમાં ચાર નિર્દોષજીંદગીનો હાઈવેએ ભોગ લીધો તેમજ બચેલા લોકો હોસ્‍પિટલના બિછાને છે. હાઈવેની દુર્દશા જોઈ લોકોમાિં વ્‍યાપક જનઆક્રોશ વ્‍યાપ્‍યો. રસ્‍તા રોકો ચક્કાજામના આંદોલન શરૂ થતા જ સુતેલી હાઈવે ઓથોરીટીની ઊંઘ ઉડી. રાતોરાત હાઈવે મરામત ખાડા પુરાણનું અભિયાન આદરી 6 જેટલી ટીમ નવસારીથી ભિલાડ સુધી ખાડાપુરાણ કામગીરી શરૂ કરી.
લોકોના વિરોધ બાદ એન.એચ.એ.આઈ.એ ખાડા પુરાણનો રોડ મેપ બનાવ્‍યો. જિલ્લામાં વાઘલધરાથી ભીલાડ સુધી સલવાવ બ્રિજ વગેરેની મરામત કામગીરી હાથ ધરી છે. પણ પરિણામ ઉપર નજર કરીએ તો રોજ સાત આઠ કે દશ કી.મી.ના ખાડા પુરતા 8 થી 10 દિવસ લાગશે તેથી એક દોઢ સપ્તાહ તો વાહન ચાલકોએ પટકાવું પડશે એ નિヘતિ છે. બીજુ આતો ખાડા પુરાણ થશે, આગળમાં વધુ વરસાદ પડશે તો પુનઃ આ ખાડા ઉઘાડા થઈને સ્‍થિતિ ઠેરના ઠેર રહેશે તે ચોક્કસ છે. કારણ કે કહેવાતી ઈન્‍ટરનેશનલ હાઈવેની ડિઝાઈનમાં પણ ભ્રષ્‍ટાચારે ક્‍વોલીટી અંગે ઘણી બાંધછોડ કરેલી સ્‍પષ્‍ટ દેખાઈ રહી છે તેનુ જીવંત ઉદાહરણ વર્તમાન હાઈવેની સ્‍થિતિ સ્‍પષ્‍ટ દર્શાવી ચૂક્‍યુ છે.

Related posts

સેલવાસના પ્રવેશદ્વાર પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે ખડકાયેલા કચરાના ડુંગરની સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રજની શેટ્ટીએ વલસાડ જિલ્લા કલેક્‍ટરને કરેલી ફરિયાદ

vartmanpravah

વિકાસના વિશ્વાસ સાથે સંપન્ન થઈ આટિયાવાડ ગ્રામ પંચાયતની ગ્રામસભા

vartmanpravah

સાંસદ બન્‍યા બાદ માત્ર 15 દિવસમાં પોતાનો પાવર બતાવવાનો વાયદો કરનાર ઉમેશભાઈ પટેલ પાંચ મહિના થવા છતાં પણ એક કામ નહીં કરી શકતા હતાશ થતાં છેવટે પોતાની નિષ્‍ફળતા ઢાંકવા સરપંચો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાને દોષિત ઠેરવવાનો બાલીશપ્રયાસ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ રઘવાયા કેમ બની રહ્યા છે..?

vartmanpravah

ભીલાડ પોલીસ વાહન ડીટેન યાર્ડમાં આગ લાગીઃ 20 જેટલા વાહનો આગની લપેટમાં

vartmanpravah

વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ દ્વારા શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી મંદીર ખાતે સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ જિ.પં.ની સામાન્‍ય સભામાં શાસક પાંખે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કામો નહી થઈ રહ્યા હોવાનો કરેલો સ્‍વીકાર

vartmanpravah

Leave a Comment