એનએચએઆઈએ 6 ટીમ મેદાનમાં ઉતારી : રોજ 8 થી 10 કી.મી. ખાડા પુરે તો પણ સમારકામ 10 દિવસ ચાલશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લા મધ્યે પસાર થતા નેશનલ હાઈવે-48 છેલ્લા સપ્તાહમાં વરસેલા અતિશય વરસાદમાં હાઈવે ખાડા રોડ બની ચૂક્યો છે. આંતરરાષ્ટ્રિય ડિઝાઈનનો કહેવાતો નેશનલ હાઈવેનું ર્ક્વાલીટીનું પોલ વરસાદે એક જ ધડાકે ખોલી નાખ્યું. ઠેર ઠેર પડેલા ખાડાઓમાં વાહનોના ઉપરાઉપરી અકસ્માતોમાં ચાર નિર્દોષજીંદગીનો હાઈવેએ ભોગ લીધો તેમજ બચેલા લોકો હોસ્પિટલના બિછાને છે. હાઈવેની દુર્દશા જોઈ લોકોમાિં વ્યાપક જનઆક્રોશ વ્યાપ્યો. રસ્તા રોકો ચક્કાજામના આંદોલન શરૂ થતા જ સુતેલી હાઈવે ઓથોરીટીની ઊંઘ ઉડી. રાતોરાત હાઈવે મરામત ખાડા પુરાણનું અભિયાન આદરી 6 જેટલી ટીમ નવસારીથી ભિલાડ સુધી ખાડાપુરાણ કામગીરી શરૂ કરી.
લોકોના વિરોધ બાદ એન.એચ.એ.આઈ.એ ખાડા પુરાણનો રોડ મેપ બનાવ્યો. જિલ્લામાં વાઘલધરાથી ભીલાડ સુધી સલવાવ બ્રિજ વગેરેની મરામત કામગીરી હાથ ધરી છે. પણ પરિણામ ઉપર નજર કરીએ તો રોજ સાત આઠ કે દશ કી.મી.ના ખાડા પુરતા 8 થી 10 દિવસ લાગશે તેથી એક દોઢ સપ્તાહ તો વાહન ચાલકોએ પટકાવું પડશે એ નિヘતિ છે. બીજુ આતો ખાડા પુરાણ થશે, આગળમાં વધુ વરસાદ પડશે તો પુનઃ આ ખાડા ઉઘાડા થઈને સ્થિતિ ઠેરના ઠેર રહેશે તે ચોક્કસ છે. કારણ કે કહેવાતી ઈન્ટરનેશનલ હાઈવેની ડિઝાઈનમાં પણ ભ્રષ્ટાચારે ક્વોલીટી અંગે ઘણી બાંધછોડ કરેલી સ્પષ્ટ દેખાઈ રહી છે તેનુ જીવંત ઉદાહરણ વર્તમાન હાઈવેની સ્થિતિ સ્પષ્ટ દર્શાવી ચૂક્યુ છે.