March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ-ભિલાડ નેશનલ હાઈવે માટે પ્રબળ જનઆક્રોશ બાદ હાઈવે ઓથોરીટીએ ખાડાપુરાણ આરંભ્‍યું

એનએચએઆઈએ 6 ટીમ મેદાનમાં ઉતારી : રોજ 8 થી 10 કી.મી. ખાડા પુરે તો પણ સમારકામ 10 દિવસ ચાલશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લા મધ્‍યે પસાર થતા નેશનલ હાઈવે-48 છેલ્લા સપ્તાહમાં વરસેલા અતિશય વરસાદમાં હાઈવે ખાડા રોડ બની ચૂક્‍યો છે. આંતરરાષ્‍ટ્રિય ડિઝાઈનનો કહેવાતો નેશનલ હાઈવેનું ર્ક્‍વાલીટીનું પોલ વરસાદે એક જ ધડાકે ખોલી નાખ્‍યું. ઠેર ઠેર પડેલા ખાડાઓમાં વાહનોના ઉપરાઉપરી અકસ્‍માતોમાં ચાર નિર્દોષજીંદગીનો હાઈવેએ ભોગ લીધો તેમજ બચેલા લોકો હોસ્‍પિટલના બિછાને છે. હાઈવેની દુર્દશા જોઈ લોકોમાિં વ્‍યાપક જનઆક્રોશ વ્‍યાપ્‍યો. રસ્‍તા રોકો ચક્કાજામના આંદોલન શરૂ થતા જ સુતેલી હાઈવે ઓથોરીટીની ઊંઘ ઉડી. રાતોરાત હાઈવે મરામત ખાડા પુરાણનું અભિયાન આદરી 6 જેટલી ટીમ નવસારીથી ભિલાડ સુધી ખાડાપુરાણ કામગીરી શરૂ કરી.
લોકોના વિરોધ બાદ એન.એચ.એ.આઈ.એ ખાડા પુરાણનો રોડ મેપ બનાવ્‍યો. જિલ્લામાં વાઘલધરાથી ભીલાડ સુધી સલવાવ બ્રિજ વગેરેની મરામત કામગીરી હાથ ધરી છે. પણ પરિણામ ઉપર નજર કરીએ તો રોજ સાત આઠ કે દશ કી.મી.ના ખાડા પુરતા 8 થી 10 દિવસ લાગશે તેથી એક દોઢ સપ્તાહ તો વાહન ચાલકોએ પટકાવું પડશે એ નિヘતિ છે. બીજુ આતો ખાડા પુરાણ થશે, આગળમાં વધુ વરસાદ પડશે તો પુનઃ આ ખાડા ઉઘાડા થઈને સ્‍થિતિ ઠેરના ઠેર રહેશે તે ચોક્કસ છે. કારણ કે કહેવાતી ઈન્‍ટરનેશનલ હાઈવેની ડિઝાઈનમાં પણ ભ્રષ્‍ટાચારે ક્‍વોલીટી અંગે ઘણી બાંધછોડ કરેલી સ્‍પષ્‍ટ દેખાઈ રહી છે તેનુ જીવંત ઉદાહરણ વર્તમાન હાઈવેની સ્‍થિતિ સ્‍પષ્‍ટ દર્શાવી ચૂક્‍યુ છે.

Related posts

ઉમરસાડીની 19 વષીય યુવતી ગુમ : કોલેજ તથા કોમ્‍પ્‍યુટર કલાસમાં જવા નીકળેલ યુવતી ઘરે પરત નહી ફરતા માતાએ નોંધાવેલી ફરિયાદ

vartmanpravah

ઉદવાડાની શેઠ પી.પી.મિસ્ત્રી શાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ‘ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2022′ યોજાઈ

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે કુપોષણ દૂર કરવા માટે પ્રશાસન દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાંની કરેલી પ્રશંસા

vartmanpravah

દીવ બ્રહ્માકુમારીઝ દ્વારા આઈ.ટી.આઈ. કેમ્‍પસમાં રક્ષાબંધન અને આંતરરાષ્‍ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત દ્વારા 1971 ભારત-પાકિસ્‍તાન યુદ્ધના લડવૈયા ફૌજી અમ્રતભાઈ રાઠોડનુંતેમના નિવાસ સ્‍થાને જઈ કરાયેલું સન્‍માન

vartmanpravah

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૪ કરોડના ખર્ચે તૈયાર પારડી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયુ

vartmanpravah

Leave a Comment