Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૮ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું શહેરીજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

પુરની ગંભીર પરિસ્થિતિના કારણસર મોકૂફ રાખેલ વંદે ગુજરાત વિકાસ યાત્રા ૨૭ જુલાઈ સુધી નવસારી જિલ્લાના ગામડાઓ અને નગરપાલિકાનો વિસ્તારમાં ભ્રમણ કરી યોજનાની જાણકારી આપશે

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. 21: ૨૦ વર્ષનાં વિકાસની ઝાંખી કરાવતા વિકાસ યાત્રા રથનો પ્રારંભ ૫ જુલાઈ ૨૦૨૨ થી થયો હતો પરંતુ નવસારી જિલ્લામાં આવી પડેલ પુરની પરિસ્થિતિ કારણોસર રથની યાત્રા સ્થગિત કરી દેવામાં આવેલ હતી જે ફરી ૨૧ જુલાઈ થી ૨૭ જુલાઈ દરમિયાન નવસારીના નગરપાલિકા અને ગ્રામીણ વિસ્તારોમાં સમાવિષ્ટ નગરજનો સુધી પહોંચી સરકારશ્રીના નેતૃત્વ હેઠળ થયેલાં વિકાસની ઝાંખી લોકો સુધી પહોંચે તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો મેળવી પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી સમાજમાં સ્વમાનભેર જીવતા થાય એવાં વિવિધ હેતુઓના સથવારે વંદે ગુજરાત વિકાસ યાત્રા નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકા વિસ્તારથી આજે શરૂઆત થઈ હતી.
વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું આજરોજ વિજલપોર નગરપાલિકાનાંપાટીદાર સમાજની વાડી ૮ ખાતેથી પ્રસ્થાનકરવામાં આવ્યું હતું.નવસારીના જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલના અઘ્યક્ષસ્થાને વંદે ગુજરાત વિકાસયાત્રાનો કાર્યક્ર્મ યોજાયો હતો.રથના આગમન પ્રસંગે આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે શહેરીજનોએ ગુજરાત રાજયના ૨૦ વર્ષના વિકાસની ટુંકી ફિલ્મ દર્શાવાઇ હતી.
આ પ્રસંગે જલાલપોરનાં ધારાસભ્યશ્રી આર.સી.પટેલએ જણાવ્યું હતું કે ૨૦વર્ષમાં શિક્ષણ, ઉદ્યોગ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ સહિતના દરેક ક્ષેત્રે જનતાનો સર્વાંગી વિકાસ સાધ્યો છે.જનતાની સુખાકારી માટે આ વંદે ગુજરાત વિકાસ યાત્રા મહત્વની સાબિત થશે. નાગરિકોને ૨૦વર્ષમાં કરેલા વિકાસના કામોની જાણકારી સાથે ઘર આંગણે વિવિધ યોજનાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેમ ધારાસભ્યશ્રી આર.સી.પટેલે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં નવસારી –વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી શ્રી જીગીશ ડી શાહ , શહેર સંગઠનમંત્રી શ્રી ભુરાભાઈ શાહ , નગરપાલિકાના સભ્યો,સરકારી અધિકારીઓ તેમજ વોર્ડના નગરજનો વગેરે હાજર રહ્યા હતા.

Related posts

દાનહમાં જાન્‍યુ. ફેબ્રુ.-2023માં તીરંદાજી સંઘ દ્વારા થનારૂં સ્‍પર્ધાનું આયોજનઃ વિવિધ પંચાયતોમાં તીરંદાજીના વર્ગોની થનારી શરૂઆત

vartmanpravah

વાપી કબ્રસ્‍તાન રોડ રાણાની ચાલમાંથી 5,330 કી.ગ્રા. ગાંજાના જથ્‍થા સાથે આરોપીને એસ.ઓ.જી.એ ઝડપ્‍યો

vartmanpravah

ખારવેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સંગીત-ગાયન સ્‍પર્ધામાં જિલ્લામાં પ્રથમ

vartmanpravah

આપણુ ગુજરાતઃ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતઃ વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતતા માટે ઇનોવેટીવ ટેક્નિક્સ અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં રૂા.495 લાખના ખર્ચે નિર્મિત થનાર ગ્રામીણ રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરતા આદિવાસી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

vartmanpravah

ધરમપુર તાલુકાની ચાર વાંચન કુટિરોમાં 15 મી ઓગસ્‍ટે પુસ્‍તક પ્રદર્શન અને ચિત્ર સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

Leave a Comment