July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૮ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું શહેરીજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

પુરની ગંભીર પરિસ્થિતિના કારણસર મોકૂફ રાખેલ વંદે ગુજરાત વિકાસ યાત્રા ૨૭ જુલાઈ સુધી નવસારી જિલ્લાના ગામડાઓ અને નગરપાલિકાનો વિસ્તારમાં ભ્રમણ કરી યોજનાની જાણકારી આપશે

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. 21: ૨૦ વર્ષનાં વિકાસની ઝાંખી કરાવતા વિકાસ યાત્રા રથનો પ્રારંભ ૫ જુલાઈ ૨૦૨૨ થી થયો હતો પરંતુ નવસારી જિલ્લામાં આવી પડેલ પુરની પરિસ્થિતિ કારણોસર રથની યાત્રા સ્થગિત કરી દેવામાં આવેલ હતી જે ફરી ૨૧ જુલાઈ થી ૨૭ જુલાઈ દરમિયાન નવસારીના નગરપાલિકા અને ગ્રામીણ વિસ્તારોમાં સમાવિષ્ટ નગરજનો સુધી પહોંચી સરકારશ્રીના નેતૃત્વ હેઠળ થયેલાં વિકાસની ઝાંખી લોકો સુધી પહોંચે તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો મેળવી પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી સમાજમાં સ્વમાનભેર જીવતા થાય એવાં વિવિધ હેતુઓના સથવારે વંદે ગુજરાત વિકાસ યાત્રા નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકા વિસ્તારથી આજે શરૂઆત થઈ હતી.
વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું આજરોજ વિજલપોર નગરપાલિકાનાંપાટીદાર સમાજની વાડી ૮ ખાતેથી પ્રસ્થાનકરવામાં આવ્યું હતું.નવસારીના જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલના અઘ્યક્ષસ્થાને વંદે ગુજરાત વિકાસયાત્રાનો કાર્યક્ર્મ યોજાયો હતો.રથના આગમન પ્રસંગે આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે શહેરીજનોએ ગુજરાત રાજયના ૨૦ વર્ષના વિકાસની ટુંકી ફિલ્મ દર્શાવાઇ હતી.
આ પ્રસંગે જલાલપોરનાં ધારાસભ્યશ્રી આર.સી.પટેલએ જણાવ્યું હતું કે ૨૦વર્ષમાં શિક્ષણ, ઉદ્યોગ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ સહિતના દરેક ક્ષેત્રે જનતાનો સર્વાંગી વિકાસ સાધ્યો છે.જનતાની સુખાકારી માટે આ વંદે ગુજરાત વિકાસ યાત્રા મહત્વની સાબિત થશે. નાગરિકોને ૨૦વર્ષમાં કરેલા વિકાસના કામોની જાણકારી સાથે ઘર આંગણે વિવિધ યોજનાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેમ ધારાસભ્યશ્રી આર.સી.પટેલે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં નવસારી –વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી શ્રી જીગીશ ડી શાહ , શહેર સંગઠનમંત્રી શ્રી ભુરાભાઈ શાહ , નગરપાલિકાના સભ્યો,સરકારી અધિકારીઓ તેમજ વોર્ડના નગરજનો વગેરે હાજર રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં તા.5 મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

વલસાડમાં મેજીસ્‍ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિની 9 ફૂટ ઊંચાઈ અંગે ગણેશ મંડળોનો વિરોધ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈ આપેલી વેલકમ કિટઃ પાઠવેલી શુભકામના

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં વાપી કેબીએસ કોલેજના એનએસએસના વિદ્યાર્થીએ લીધેલો ભાગ

vartmanpravah

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

vartmanpravah

અથાલ નજીક ટેન્‍કર સાથે ટ્રક અથડાતા રસ્‍તા પર ઓઇલ ઢોળાતા સર્જાયેલો ટ્રાફિક જામ

vartmanpravah

Leave a Comment