October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ નરોલી પંચાયત દ્વારા ગૌશાળા માટે જગ્‍યા ફાળવવા જિ.પં.ના સીઈઓ સમક્ષ માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: છેલ્લા ઘણાં વર્ષોથી જાહેર રસ્‍તાઓ, બાગ-બગીચા, જાહેર સ્‍થળોએ પાલતુ પશુઓનો અડીંગો જોવા મળતો હોય છે. કેટલાય પશુઓ રસ્‍તા, હાઈવેની વચ્‍ચોવચ્‍ચ બેસી રહે છે કે ઉભા રહેતા હોય છે. ઘણાં ગાય, બળદ, વાછરડાં આખો દિવસ જાહેરમાં આમતેમ રખડતા હોય છે અને રાત્રિના સમયે જાહેર રસ્‍તાઓ ઉપર, ઘરો-દુકાનોના ઓટલા ઉપર અડીંગો જમાવતા હોય છે. જાહેર રસ્‍તાઓ ઉપર અડીંગો જમાવી બેસતા પશુઓને કારણે ઘણી વખત ગમખ્‍વાર અકસ્‍માતો પણ સર્જાયા છે અને સર્જાતા રહે છે. તેથી દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયત દ્વારા રખડતા પશુઓ માટે નરોલી અને ખરડપાડા પંચાયતને જોડાઈને આવેલ જગ્‍યામાં આધુનિક ગૌશાળાનું નિર્માણ કરવા જિલ્લા પંચાયત સીઈઓને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્‍યા અનુસાર નરોલીપંચાયત અને ખરડપાડા પંચાયતને જોડાઈને આવેલ સર્વે નંબર 377વાળી જમીન આવેલ છે જે જમીન ઉપર આધુનિક યુગની ગૌશાળાનું નિર્માણ કરવામાં આવે એવી માંગ કરી છે. નરોલી અને ખરડપાડા પંચાયત વિસ્‍તારમાં હાલમાં પણ અનેક ઘર વગરની ગાયો ફરતી હોય છે. જે ગાયોને સ્‍થાયી કરવા માટે ગૌશાળાનું નિર્માણ કરવું જરૂરી છે. આ રખડતી ગાયોના કારણે ઘણી વખતે અકસ્‍માતોની ઘટનાઓ પણ બનતી રહે છે અને કેટલાય લોકોના મોત પણ થયા છે. તથા વાહનો સાથે અથડાવાના કારણે ગાયોના પણ મોત થાય છે. જેથી આમતેમ રખડતી ગાયો, બળદ, વાછરડા, ભેંસ, પાડા વગેરેને સ્‍થાયી કરવા માટે નરોલી પંચાયત અને ખરડપાડા પંચાયત નાણાંકીય રીતે સક્ષમ હોય નવી ગૌશાળાના નિર્માણની જવાબદારી આપવામાં આવે એવી બન્ને પંચાયતો દ્વારા પ્રબળ માંગણી કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, ગત મંગળવારે રાત્રિ 12.40 કલાકે સેલવાસથી વાપી તરફ જઈ રહેલ કારને દાદરા મેઈન રોડ ઉપર બેસેલ ગાયોના ટોળા સાથે અકસ્‍માત સર્જાયો હતો જેમાં એક ગાયનું કરૂણ મોત થયું હતું અને કારચાલકને પણ ભારે નુકસાન થયું હતું.

Related posts

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

vartmanpravah

વાપી ટુકવાડા હાઈવે ઉપર રોડ મરામતની કામગીરી અંતે શરૂ થઈ : વાપીના સર્વિસ રોડ પણ મરામત માગે છે

vartmanpravah

આજે વયનિવૃત્ત થયેલા જિલ્લા માહિતી કચેરી ભરૂચના નાયબ માહિતી  નિયામક અને વલસાડ જિલ્લાના ઇનચાર્જ નાયબ માહિતી નિયામક અનિલભાઇ બારોટનો નિવૃત્તિ વિદાય સમારોહ વલસાડ ખાતે યોજાયો

vartmanpravah

વલસાડ પોલીસમાં ફરજ બજાવતા ડી.વાય.એસ.પી. આર.ડી. ફળદુ આજે સેવા નિવૃત્ત થશે

vartmanpravah

દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં આયોજીત ગણેશ મહોત્‍સવ

vartmanpravah

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને પગલે વલસાડ જિલ્લામાં તા. 18 થી 20 નવેમ્બર સુધી ડ્રોન, ફુગ્ગા, પતંગ અને તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment