April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : નાની દમણ દલવાડાના સુપ્રસિદ્ધ બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરમાં આયોજીત 7 દિવસીય શ્રીમદ્‌ ભાગવત કથાના પાંચમા દિવસે વૃંદાવન ધામના કથાવાચક અનંતાચાર્યજીમહારાજે શ્રદ્ધાળુઓને શ્રી કૃષ્‍ણ બાળ લીલા, કાળીનાગ મર્દન તથા ગોવર્ધન પૂજાની કથા રોચક શૈલીમાં સંભળાવી હતી.
ભગવાન શ્રી કૃષ્‍ણએ બાળપણમાં અનેક લીલાઓ કરી હતી. બાળ કૃષ્‍ણ દરેકનું મન મોહી લેતા હતા. નટખટ સ્‍વભાવના કારણે યશોદા માતા પાસે તેમની દરરોજ ફરિયાદો આવતી હતી. માઁ તેમને કહેતી હતી કે તું દરરોજ માખણ ચોરી કરીને ખાયા કરે છે ત્‍યારે તે મોઢું ખોલીને બતાવતો હતો કે મેં માખણ નથી ખાધું.
ભગવાન શ્રી કૃષ્‍ણએ કહ્યું હતું કે, ઈન્‍દ્રમાં શું શક્‍તિ છે? તેનાથી વધુ શક્‍તિશાળી તો આપણો ગોવર્ધન પર્વત છે. જેના કારણે જ વરસાદ થાય છે. આપણે ઈન્‍દ્રથી બળવાન ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. ઘણાં વિવાદો પછી શ્રી કૃષ્‍ણની આ વાત માનવામાં આવી અને વ્રજમાં ગોવર્ધન પૂજાની તૈયારીઓ શરૂ થઈ હતી. આ દરમિયાન શ્રદ્ધાળુઓ ભક્‍તિના સાગરમાં મંત્રમુગ્‍ધ બની ગયા હતા.
અત્રે યાદ રહે કે, જયરામદાસ અગ્રવાલ ચેરીટેબલ દ્વારા બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરના પાટોત્‍સવના ઉપલક્ષમાં શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Related posts

દાનહઃ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ અને હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા સ્‍પેક્‍ટ્રમ 2021-22 કાર્યક્રમનું ભવ્‍ય આયોજન

vartmanpravah

વાવાઝોડાની અસર : પશ્ચિમ રેલવેની 67 ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરાઈ

vartmanpravah

દાનહના બાલદેવી ખાતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)’ના 704 લાભાર્થીઓને કરાવેલો ગૃહપ્રવેશ મોદી સરકારની રાજનીતિ સમાજ અને પ્રજાના કલ્‍યાણ માટેઃ કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

vartmanpravah

ખાનવેલ પંચાયતની મળેલી ગ્રામસભાઃ ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની કરેલી રજૂઆત

vartmanpravah

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોનને મળેલી જ્‍વલંત સફળતા: એક પગલું શિક્ષણ તરફ

vartmanpravah

વાપી ચણોદ ખાતે આવેલી અથર્વ પબ્‍લિક સ્‍કૂલનો એન્‍યુઅલ ડે ઉજવાયો

vartmanpravah

Leave a Comment