April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારનેરા ડુંગર સ્‍થિત રામેશ્વર મહાદેવના મંદિર રિપેરીંગ કામે આવતા મજુરે ચોરી કરી

ધરમપુરના મજુર વિપુલ જયેશ દડવી ચોરી કરતા સી.સી.ટી.વી.માં દેખાતા ફરિયાદ નોંધાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડ નજીક આવેલ જાણીતા યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં મંગળવારની રાતે દાનપેટીમાંથી રોકડા રૂપિયાની ચોરી થતા વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
વલસાડ પારનેરાડુંગર ઉપર રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરના પૂજારી રાતે મંદિરની દાનપેટીમાં એલ્‍યુમિનિયમના ડબ્‍બામાં 2500 રૂપિયા રોકડા રાખીને ઘરે ગયા હતા. સવારે પૂજારી કૌશિકભાઈ ધીરૂભાઈ પટેલ મંદિરમાં આરતી પૂજા કરવા આવેલા ત્‍યારે દરવાજાનું તાળુ તૂટેલું જોયેલું તેમજ ઉપરનું પતરું પણ તુટેલું જોયું. દાનપેટીમાં તપાસ કરી તો રાતે રાખેલ રૂપિયા ચોરી થઈ ગયેલા જણાયા હતા તેથી પૂજારીએ સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કર્યા તો મંદિરમાં રિપેરીંગ મજુરી કામે આવતા મજુર વિપુલ જયેશ દડવી મંદિરમાં ચોરી કરતો જણાયો હતો. તેથી પૂજારી કૌશિકભાઈ પટેલએ રૂરલ પોલીસમાં ધરમપુર રહેતા મજુર વિપુલ જયેશ દડવી વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

વાપીની પેપર મિલમાં વીજ શોક લાગવાથી કામદારનું કરુણ મોત

vartmanpravah

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

vartmanpravah

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

…તો ગ્રામ પંચાયતના સરપંચો જ હોળીના નારિયેળ બનશે

vartmanpravah

આજે સેલવાસથી કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી અભિયાન’નો આરંભ કરાવશે

vartmanpravah

વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

vartmanpravah

Leave a Comment