દમણ જિલ્લાની ગ્રામ પંચાયતો દ્વારા ચૌપાલ, ગ્રામસભા અને વોર્ડસભાના કરાતા આયોજનથી લોકોમાં આવી રહેલી જાગૃતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.25: દમણ જિલ્લામાં અગામી તા.13થી 15મી ઓગસ્ટ દરમિયાન યોજાનારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે દરેક ગ્રામ પંચાયતો દ્વારા ચૌપાલ અને ગ્રામસભાનું આયોજન થઈ રહ્યું છે. વોર્ડની ગ્રામસભામાં પણ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સરપંચો, ઉપ સરપંચો અને વોર્ડ સભ્યો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલા લોક આંદોલનના સ્વરૂપથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનારા આ કાર્યક્રમથી લોકોમાં દેશદાઝની ભાવના પણ પ્રગટ થઈ રહી છે.
તસવીરઃ રાહુલ ધોડી