April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

દમણમાં દરિયા કિનારે વિસર્જીત કરાયેલ ગણેશ મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈ

ગણેશ મહોત્‍સવમાં ગણેશજીની સ્‍થાપના કરી આરતી પૂજા બાદ ભક્‍તો વિસર્જન કરે છે પરંતુ વિસર્જીત મૂર્તિઓની હાલત બેહાલ જોવા મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: હાલમાં વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ ગણેશ મહોત્‍સવની ધુમ ચાલી રહી છે. ગણેશ ચતુર્થીના દિવસથી પ્રારંભ થયેલ આ ઉત્‍સવમાં દોઢ, ત્રણ, પાંચ દિવસીય શ્રીજીની મૂર્તિઓ ઘરોમાં સોસાયટીઓમાં શ્રદ્ધાપૂર્વક સ્‍થાપિત કરી આરતી, પૂજા, પ્રસાદ દરરોજ કરવામાં આવે છે ત્‍યાર બાદ ગણેશજીની મૂર્તિઓ નદી, દરિયા કિનારે ધુમધામથી વિસર્જીત કરવામાં આવે છે. પરંતુ શ્રધ્‍ધાના દેવ માનેલા વ્‍હાલા ગણેશજીની તેવી વિસર્જીત કરાયેલી મૂર્તિઓ ક્ષત-વિખત હાલતમાં દમણના દરિયા કિનારે રજળતી જોવા મળી રહી છે.
ગણેશ મહોત્‍સવએ મોટો ધાર્મિક તહેવાર છે. ગણેશજીની મૂર્તિઓની ઠેર ઠેર સ્‍થાપના કરવામાં આવે છે. બાદમાંભાવપૂર્વક નદી, ઓવારા કે દરિયા કિનારે વિસર્જીત કરવામાં આવી રહી છે. પરંતુ વિસર્જીત કરાયેલી ગણેશની મૂર્તિઓ પાછળથી બેહાલ સ્‍થિતિમાં રઝળતી દમણ દરિયા કિનારે જોવા મળી રહી છે. મૂર્તિઓની આ હાલત જોઈને શ્રધ્‍ધાળુઓની પારાવાર લાગણી દુભાઈ રહી છે.

Related posts

દાનહ વન્‍યજીવ અભ્‍યારણ જંગલ અતિક્રમણ બાબતે કોર્ટ દ્વારા ચુકાદો: જંગલની જમીન પર ગેરકાયદેસર નિર્માણ કરનાર ધાકલ તુમણાને રૂ.૨૦૦૦ અથવા બે મહિનાની સખ્ત કેદ

vartmanpravah

પારડીમાં રૂમ ભાડા ના મુદ્દે માલિકના પુત્રએ ભાડુઆતને માર માર્યો

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કુંભઘાટ પર થયેલ અકસ્‍માતના ઈજાગ્રસ્‍તો અને દેવસરની ફેક્‍ટરીમાં આગથી ઘાયલ કામદારોની વલસાડ સિવિલમાં મુલાકાત લીધી

vartmanpravah

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીની કારોબારી મિટિંગ યોજાઈ

vartmanpravah

પારડી કોર્ટમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એકી સાથે 399 કેસોનું થયું સમાધાન

vartmanpravah

ભાદરવા માસમાં વાંસદાના ડેમ ઓવરફલો થતાં આહ્‌લાદક વાતાવરણ સર્જાયું

vartmanpravah

Leave a Comment