October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

દમણમાં દરિયા કિનારે વિસર્જીત કરાયેલ ગણેશ મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈ

ગણેશ મહોત્‍સવમાં ગણેશજીની સ્‍થાપના કરી આરતી પૂજા બાદ ભક્‍તો વિસર્જન કરે છે પરંતુ વિસર્જીત મૂર્તિઓની હાલત બેહાલ જોવા મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: હાલમાં વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ ગણેશ મહોત્‍સવની ધુમ ચાલી રહી છે. ગણેશ ચતુર્થીના દિવસથી પ્રારંભ થયેલ આ ઉત્‍સવમાં દોઢ, ત્રણ, પાંચ દિવસીય શ્રીજીની મૂર્તિઓ ઘરોમાં સોસાયટીઓમાં શ્રદ્ધાપૂર્વક સ્‍થાપિત કરી આરતી, પૂજા, પ્રસાદ દરરોજ કરવામાં આવે છે ત્‍યાર બાદ ગણેશજીની મૂર્તિઓ નદી, દરિયા કિનારે ધુમધામથી વિસર્જીત કરવામાં આવે છે. પરંતુ શ્રધ્‍ધાના દેવ માનેલા વ્‍હાલા ગણેશજીની તેવી વિસર્જીત કરાયેલી મૂર્તિઓ ક્ષત-વિખત હાલતમાં દમણના દરિયા કિનારે રજળતી જોવા મળી રહી છે.
ગણેશ મહોત્‍સવએ મોટો ધાર્મિક તહેવાર છે. ગણેશજીની મૂર્તિઓની ઠેર ઠેર સ્‍થાપના કરવામાં આવે છે. બાદમાંભાવપૂર્વક નદી, ઓવારા કે દરિયા કિનારે વિસર્જીત કરવામાં આવી રહી છે. પરંતુ વિસર્જીત કરાયેલી ગણેશની મૂર્તિઓ પાછળથી બેહાલ સ્‍થિતિમાં રઝળતી દમણ દરિયા કિનારે જોવા મળી રહી છે. મૂર્તિઓની આ હાલત જોઈને શ્રધ્‍ધાળુઓની પારાવાર લાગણી દુભાઈ રહી છે.

Related posts

સંઘપ્રદેશમાં ઉચ્‍ચ શિક્ષણના ક્ષેત્રે સ્‍વર્ણિમ પળઃ રાષ્‍ટ્રીય ફેશન ટેક્‍નોલોજી સંસ્‍થા (NIFT) તેમના 18મા કેમ્‍પસની સ્‍થાપના કરશે

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 41 નિઃશુલ્‍ક મોતિયા બિંદ ઓપરેશન કરાયા

vartmanpravah

સેલવાસના દયાત ફળિયાની એક તરુણીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દમણમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે આયોજીત વિશાળ મહિલા સંમેલનમાં સુપ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝા વૈદ્યએ મહિલાઓને આપેલો મંત્ર : સ્‍વસ્‍થ, મસ્‍ત અને વ્‍યસ્‍ત રહો

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ શેરડી કાપતા મજૂરો માટે મુસીબતઃ નાના બાળકો સાથે કાદવ કીચડમાં રહેવા મજબૂર

vartmanpravah

..તો ડેલકર પરિવાર માટે 2024ની ચૂંટણી લડવી અને જીતવી સરળ નહીં રહે..!

vartmanpravah

Leave a Comment