(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ,તા.27: સેલવાસના પીપરીયા વિસ્તારમાં રીક્ષા સ્ટેન્ડની બાજુમાં સરકારી જગ્યા પર લીમડાના ઝાડ નીચે બનાવવામાં આવેલ કાળી માતાના મંદિરને નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથેહટાવવામાં આવ્યું હતું અને માતાની મૂર્તિને ડો. બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમાં સુરક્ષિત રાખવામાં આવી છે. આ બાબતે પાલિકા ઈજનેરે જણાવ્યું છે કે માતાજીની મૂર્તિને બીજી સારી જગ્યા પર પ્રસ્થાપિત કરવા માટે સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓ ઈચ્છે તો અમારી પાસેથી લઈ જઈ શકે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મંદિર પાંચ વર્ષ પહેલાં ફંડફાળો એકત્રિત કરીને બનાવવામાં આવ્યું હતું અને હાલમાં સેલવાસ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની નોટિસ કે સૂચના આપ્યા વિના જ મંદિરને હટાવી દીધું છે. આ મંદિર અમારી આસ્થા સાથે જોડાયેલું છે જેનું પણ ધ્યાન રાખવું જરૂરી હતું. પરંતુ એવું સત્તાધિશોએ કંઈ પણ કર્યું નહીં અને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી તેઓની લાગણીને દુભાવી છે.