(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દેશમાં ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત યોજાઈ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાને સફળ બનાવવા દમણના વિવિધ ગામોમાં ગ્રામસભા, વોર્ડસભા અને રાત્રિ ચૌપાલ તથા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાનમાં દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં પણ રાત્રિ ચોપાલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના વોર્ડ સભ્ય, પંચાયતનો સ્ટાફ અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
-તસવીર અહેવાલઃ રાહુલ ધોડી