October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર : કપરાડા, અંભેટી નવોદય વિદ્યાલયના 13 વિદ્યાર્થીઓ સંક્રમિત

જિલ્લામાં ગુરૂવારે નવા 22 કોરોના કેસ નોંધાયા : આરોગ્‍ય વિભાગ દોડતો થયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.28
વલસાડ જિલ્લા કોરોના સંક્રમણ માંડ માંડ થાળે પડતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ હાશકારો લાંબો સમય ટક્‍યો નથી. પાછલા કેટલાક દિવસથી ફરી કોરોના માથુ ઉચકી રહેલો જણાયો. રોજેરોજ અલગ અલગ વિસ્‍તારોમાં બે, પાંચ કોરોના સંક્રમિત દર્દીઓ રોજેરોજ જોવા મળવા લાગ્‍યા હતા પરંતુ આજે ગુરૂવારે કોરોનાએ કહેર વર્તાવ્‍યો છે. જિલ્લામાં કુલ 22 કોરોના કેસ નોંધાયા હતા. તે પૈકી કપરાડા, અંભેટી નવોદય વિદ્યાલયમાં 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા આરોગ્‍ય વિભાગ દોડતો થઈ ગયો હતો.
વલસાડ જિલ્લામાં અત્‍યાર સુધી કુલ 13315 કોરોના સંક્રમિત દર્દી સરકારી ચોપડે નોંધાયા છે તે પૈકી 12731 દર્દી સાજા થયેલા છે જ્‍યારે હાલમાં 85 દર્દી સંક્રમિત થયેલા છે તેમજ 87 દર્દીના મૃત્‍યુ થયા નો સરકારી અહેવાલ છે. ચોમાસાની અતિવૃષ્‍ટિમાં ફરી કોરોનાએ માથું ઉચક્‍યું હોવાનું જણાઈ રહ્યું છે. અંભેટી નવોદય વિદ્યાલયના એક સાથે 13 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્‍ત થયાના સમાચાર બાદ આરોગ્‍ય વિભાગની દોડધામ વધી ગઈ હતી તેમજ સ્‍કૂલના અન્‍ય બાળકોના વાલીઓ પણ ચિંતિત બન્‍યા છે.

Related posts

‘‘આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે નવસારી કલેકટર કચેરી ખાતે શપથ ગ્રહણ કરાયા

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં જાળમાં ફસાયેલા અજગરનું જીવદયા પારડી દ્વારા રેસ્‍ક્‍યૂ કરાયું

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍વપ્‍નિલ ઓર્ગેનિક્‍સ કંપનીમાંથી થયેલ ગેસ લીકેજનો મામલો જી.પી.સી.બી. વડી કચેરીમાં પહોંચ્‍યો

vartmanpravah

વલસાડના રોણવેલ અને નાની સરોણ ગામે બે પ્રેમી પંખીડાઓનો મોબાઈલ ઉપર વાત થયા પછી જીવનનો અંત: પ્રેમિકાની હત્યા કરી પ્રેમીનો પણ આપઘાત

vartmanpravah

ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે ચાલતા રસ્‍તા વિવાદની ફરી મામલતદાર કચેરીને કરેલી રાવ

vartmanpravah

પારડીના કોટલાવમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકીઃ સોનાના ઘરેણાં તથા રોકડ મળી રૂ.૧,૫૦,૦૦૦ની કરેલી ચોરી

vartmanpravah

Leave a Comment