Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર : કપરાડા, અંભેટી નવોદય વિદ્યાલયના 13 વિદ્યાર્થીઓ સંક્રમિત

જિલ્લામાં ગુરૂવારે નવા 22 કોરોના કેસ નોંધાયા : આરોગ્‍ય વિભાગ દોડતો થયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.28
વલસાડ જિલ્લા કોરોના સંક્રમણ માંડ માંડ થાળે પડતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ હાશકારો લાંબો સમય ટક્‍યો નથી. પાછલા કેટલાક દિવસથી ફરી કોરોના માથુ ઉચકી રહેલો જણાયો. રોજેરોજ અલગ અલગ વિસ્‍તારોમાં બે, પાંચ કોરોના સંક્રમિત દર્દીઓ રોજેરોજ જોવા મળવા લાગ્‍યા હતા પરંતુ આજે ગુરૂવારે કોરોનાએ કહેર વર્તાવ્‍યો છે. જિલ્લામાં કુલ 22 કોરોના કેસ નોંધાયા હતા. તે પૈકી કપરાડા, અંભેટી નવોદય વિદ્યાલયમાં 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા આરોગ્‍ય વિભાગ દોડતો થઈ ગયો હતો.
વલસાડ જિલ્લામાં અત્‍યાર સુધી કુલ 13315 કોરોના સંક્રમિત દર્દી સરકારી ચોપડે નોંધાયા છે તે પૈકી 12731 દર્દી સાજા થયેલા છે જ્‍યારે હાલમાં 85 દર્દી સંક્રમિત થયેલા છે તેમજ 87 દર્દીના મૃત્‍યુ થયા નો સરકારી અહેવાલ છે. ચોમાસાની અતિવૃષ્‍ટિમાં ફરી કોરોનાએ માથું ઉચક્‍યું હોવાનું જણાઈ રહ્યું છે. અંભેટી નવોદય વિદ્યાલયના એક સાથે 13 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્‍ત થયાના સમાચાર બાદ આરોગ્‍ય વિભાગની દોડધામ વધી ગઈ હતી તેમજ સ્‍કૂલના અન્‍ય બાળકોના વાલીઓ પણ ચિંતિત બન્‍યા છે.

Related posts

પરવાસાના 19 વર્ષીય યુવાને ઝાડની ડાળીએ લટકી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં મોડી સાંજે પવનના સૂસવાટા સાથે વરસેલો વરસાદઃ લોકોએ ગરમીથી લીધેલો રાહતનો શ્વાસ

vartmanpravah

દાનહ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ હરિ ટી. ખંડારેનું હૃદય રોગના હૂમલાથી નિધનઃ પોલીસબેડામાં ફેલાયેલી શોકની લાગણી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત વિવિધ સ્‍પર્ધાઓમાં વિજયની હેટ્રિક લગાવી વાત્‍સલ્‍ય વિદ્યાલયે બતાવેલી પોતાની સર્વોપરિતા

vartmanpravah

કેબિનેટ મંત્રીમનસુખભાઈ માંડવીયાએ VGELની મુલાકાત લઈ પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા અંગે જાણકારી મેળવી

vartmanpravah

પૈસાની ઉઘરાણીમાંસુરતના ફળ-શાકભાજીના વેપારીનું નવસારી પાસેથી અપહરણ : 6ની ધરપકડ

vartmanpravah

Leave a Comment