September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાનકુવામાં પોસ્‍ટ કર્મચારીના ઘરનું તાળું તોડી તસ્‍કરો કસબ અજમાવી ફરાર થઈ ગયા

અન્‍ય બે જેટલા ઘરના પણ રાત્રીના સમયે તાળા તૂટયા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ફરજ બજાવતી ફરિયાદી મૌસમીકુમારી સુનિલભાઈ ધો.પટેલ (રહે.પ્‍લોટ નં-17, વૃંદાવન સોસાયટી રાનકુવા તા.ચીખલી) 16-સપ્‍ટેમ્‍બરના રોજ સાંજે પતિ અને પુત્રો સહિતના પરિવાર સાથે તેમના વાંસદા તાલુકાના ઝરીગામ ડુંગરી ફળીયા પિયર ખાતે રાત્રે રોકાયા હતા. આ દરમ્‍યાન તેમના ઘરના મુખ્‍ય દરવાજાનું તાળું કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશી લોખંડનાકબાટમાંનો સામાન વેર વિખેર કરી નાંખી કબાટની તિજોરીમાં મુકેલ આશરે દોઢ તોલાનું રૂા.60,000 ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર ચોરી ગયેલાનું જણાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ-જે.બી.જાદવે હાથ ધરી હતી.
જોકે વૃંદાવન સોસાયટીમાં જ ભાડુઆત તરીકે રહેતા કેયુરસિંહ અમૃતસિંહ પરમારના ઘરે પણ પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ત્‍યાં કંઈ હાથ લાગ્‍યું ન હતું. તેમજ વિલાસબેન જયેશભાઈ પટેલના ઘરે પણ ચોરી થયેલાનું જાણવા મળ્‍યું હતંું. ફરિયાદમાં ત્રણેય ઘરે ચોરીનો ઉલ્લેખ છે. જ્‍યારે આસપાસની અન્‍ય બે સોસાયટીમાં પણ કેટલાક ઘરોને નિશાન બનાવ્‍યા હોવાનું જાણવા મળ્‍યું હતું. રાનકુવામાં એક સાથે એક કરતાં વધારે ઘરોના તાળા તૂટતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ ફેલાવવા પામ્‍યો હતો.

Related posts

આજે દાનહના શબરીમાલા અયપ્‍પા સેવા સમાજ દ્વારા મકર જ્‍યોતિ ઉત્‍સવ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગરૂકતા અભિયાનમાં ભારત સ્‍કાઉટ ગાઈડની સરાહનીય કામગીરી

vartmanpravah

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂા. 17.29 કરોડના પ્રકલ્‍પોની ભેટ

vartmanpravah

નવસારી અને જલાલપોર આઈ.ટી.આઈ.ખાતે પ્રવેશ મેળવવા જાગ

vartmanpravah

રોટરી વાપી રિવરસાઈડ દ્વારા વાપી હાફ મેરેથોનનું આયોજન કરાયું

vartmanpravah

જિલ્લા સ્‍પેશ્‍યલ કોર્ટનો ચૂકાદો: દમણમાં પાંચ વર્ષની સગીરા સાથે અશ્‍લીલ હરકત કરનારા આરોપીને પોક્‍સોના કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા

vartmanpravah

Leave a Comment