April 20, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલીના સારવણીમાં ચોમાસા પૂર્વે જ ‘નલ સે જલ’ યોજનામાં નિર્માણ કરાયેલ કેબિનમાં તિરાડ પડતા તારથી બાંધવાની નોબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.29
તાલુકાભરમાં વાસ્‍મોની ‘નલ સે જલ’ યોજનાના કામોમાં નકરી વેઠ ઉતારી તકલાદી કામો કરી ભ્રષ્ટાચાર આચરતા સરકારના લાખો રૂપિયા એળે જવા સાથે ઘણી યોજનાઓનું અસ્‍તિત્‍વ કાગળ પર જ રહી જાય તેવો ઘાટ સર્જાવા પામ્‍યો છે.
પ્રાપ્ત વિગત મુજબ સારવણી ગામના કોલા ફળીયામાં ચોમાસા પૂર્વે વાસ્‍મોની ‘નલ સે જલ’ યોજના અંતર્ગત બોરવેલ કરી ઘરે ઘર નળના જોડાણ આપવામાં આવ્‍યા હતા. ઘરઆંગણે પાણી મળવાની આશાએ સ્‍થાનિકોમાં એક સમયેખુશી પણ ફેલાઈ જવા પામી હતી.પરંતુ ભ્રષ્ટાચારીઓના આશીર્વાદથી ટૂંકા ગાળામાં જ લોકોની આશા ઠગારી નીવડી રહી હોય તેમ લાગી રહ્યું છે. કોલા ફળીયામાં ‘નલ સે જલ’ યોજનાનું મીટર અને મોટરનું સ્‍ટાટર મુકવાની સિમેન્‍ટની દિવાલવાળી કેબિનમાં ઠેર ઠેર તિરાડ પડી જવા પામી છે અને યોગ્‍ય રીતે ફિટિંગ ન કરાતા હાલે તારથી બાંધવાની નોબત આવી છે. બીજી તરફ પીવીસીની પાઇપ લાઈનમાં પણ યોગ્‍ય ફિટિંગ કે ગુણવત્તા યુક્‍ત ડિઝાઈનમાં નિયત કરાયેલા પાઈપના અભાવે ઠેર ઠેર લીકેજ થતા લોકોના ઘર સુધી પાણી પૂરતા દબાણ અને પ્રમાણમાં પહોંચી રહ્યું નથી. નળને ફિક્‍સ કરવા માટે કોન્‍ક્રીટના ઢીમા બનાવાયા હતા. તે પણ કેટલાક તૂટી જવા પામ્‍યા છે.
લોકોને ઘરે ઘર નળથી પીવાનું પાણી મળે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્‍યો છે. પરંતુ સારવણીના કોલા ફળીયા જેવી તો અનેક ગામોમાં ફરિયાદ ઉઠી રહી છે. વાસ્‍મોની ‘નલ સે જલ’ યોજનાના કામોમાં નકારી વેઠ ઉતારી ગુણવત્તા વિહીન તકલાદી કામો કરાતા સરકારના લાખો રૂપિયાના એંધાણ બાદ પણ લોકોને ભ્રષ્ટાચારીઓને પાપે સુવિધા મળવા પામી નથી. બોરવેલની ઊંડાઈ, બોરવેલમાં નાંખવામાં આવેલ કેસિંગ પાઇપ, પાઇપ લાઈનમાં વાપરવામાં આવેલ પાઈપની વિગેરેની ગુણવત્તાની તપાસ થાયતો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે. પરંતુ ભય વિનાના ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટાચારીઓ પર કોઈ લગામ નથી. તેવા ભ્રષ્ટાચારીઓના ખિસ્‍સા ભરાઈને લોકો સુવિધાથી વંચિત રહે એ જ સત્‍ય સનાતન છે.
‘નલ સે જલ’ યોજનાના 100ટકા કામો પૂર્ણ થયેલા હોવાના ઠરાવ માટે ગ્રામસભાનું પણ આયોજન કરાયું છે. બીજી તરફ કેટલાય ગામોમાં યોજનાઓ પૂર્ણ રીતે ચાલુ થઈ નથી અને અધ્‍ધરતાલ છે. ત્‍યારે ઉચ્‍ચ અધિકારીઓની લાડકા થવાની નીતિરીતિમાં કાગળ પર સો ટકા કામગીરી દર્શાવતું આયોજન હોય તેમ લાગે છે.
સારવણીના અગ્રણી સુનિલભાઈના જણાવ્‍યાનુસાર કોલા ફળીયામાં કેબિનતારથી બાંધેલી છે. પાઈપ બરાબર ફિટિંગ ન કરાતા ઠેર ઠેર પાણી લીકેજ થતા લોકોના ઘરે પહોંચતું નથી. બીજી તરફ નળના ઢીમમાં પણ તૂટી રહ્યા છે.

Related posts

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને પગલે વલસાડ જિલ્લામાં તા. 18 થી 20 નવેમ્બર સુધી ડ્રોન, ફુગ્ગા, પતંગ અને તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ

vartmanpravah

વાપી કોચરવામાં બાકી પૈસા માટે સગીર ઉપર જવલનશીલ પદાર્થ ચહેરા પર લગાડી આંખો ઉપર ઈજા પહોંચાડી

vartmanpravah

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞને વિરામ અપાયો

vartmanpravah

ગણદેવી તાલુકાના એંધલ ગામ ખાતે કલેટક્‍ટરની અધ્‍યક્ષતામાં રાત્રી સભા યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ શેરડી કાપતા મજૂરો માટે મુસીબતઃ નાના બાળકો સાથે કાદવ કીચડમાં રહેવા મજબૂર

vartmanpravah

ચીખલીમાં રામ જન્‍મોત્‍સવ પૂર્વે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment