વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા દેશના આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિજી અંગે ઈરાદાપૂર્વક કરવામાં આવેલ અશોભનીય શબ્દોના પ્રયોગના વિરોધમાં વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાજીની આગેવાની હેઠળ ધરમપુર મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું.
આજરોજવલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી તેમજ ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી દ્વારા દેશના મહામહિમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી વિષે અભદ્ર અને અપમાનજનક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં ધરમપુરના મામલતદારશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું, આ તબક્કે શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રણવભાઈ શિંદે, જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ શ્રી નવીનભાઈ ભોયા સહિત ભાજપના સંગઠનના હોદેદારો, ચૂંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.